SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 916 કરવા આવે તો ભેગાભેગો બેસે. કટાસણું કેમ પાથરવું કે મુહપત્તિ કેમ પડિલેહવી કે ચરવળો કેમ રાખવો કે કાઉસગ્ગ કેમ ગણવો, એ કશી ખબર ન હોય. મરજી આવે ત્યાં એક ખૂણે આવીને બેસે. સૌની સાથે હાથપગ હલાવે. સૌ કરે તેમ કરે. સમજે કાંઈ નહિ. સૌ કરે તેમ કરવું' એમ કહેવામાં આવે તો લાગ આવે તો કોઈ ઝોકાં ખાય, તો એ પણ ઝોકાં ખાય. બાર મહિને એકવાર જવું પડે માટે ઉપાશ્રયમાં પેસે. પેસે ત્યારથી જ ક્યારે પૂરું થાય એ કાળજી, એ ચિંતા. આનું નામ અનનુષ્ઠાન. આ રીતે ક્રિયા કરનારને સારી ક્રિયા જોઈતી છાયા ન પાડે, છતાંય જેઓ એટલી પણ મર્યાદા નથી ધરાવતા, તેઓના કરતાં આ સારા છે. ૪ - તહેતુ ક્રિયા અને ૫ - અમૃતક્રિયા : સમ્યગ્દષ્ટિ આત્માને તહેતુ ક્રિયા હોય. આત્મા પરિણત થાય, તન્મય થાય ત્યારે અમૃતક્રિયા આવે. ધ્યેય ઉપર આત્મા એવો રત બને કે અંતિમ કોટિએ આવે ત્યારે તે મુક્તિને પણ ભૂલી જાય અને “ભવે મોક્ષે સો પુનઃ" આ દશાનો પણ અનુભવ કરે. એ ક્રિયા વખતે મુક્તિની પણ ઇચ્છા નહિ. આ તન્મયતા ન આવે ત્યાં સુધી મુક્તિની ઇચ્છા જોઈએ. ક્રિયા અને આત્મા એકાકાર બની જાય, ભેદ માલુમ ન પડે એવી ક્રિયા તે અમૃતક્રિયા. આત્માને એવો તરૂપ બનાવવા માટે તહેતુ ક્રિયા છે. તહેતુમાં દોષો આવવા ન જોઈએ. તહેતુ ક્રિયા સમજવી જોઈએ. તેમાં જ બધા ગોટાળા છે. ક્રિયા એકની એક જ પણ હેતુ ભૂલ્યા તો કાં તો એ ક્રિયા અનનુષ્ઠાનમાં જાય અને કાં તો વિષ કે ગરલમાં જાય. તહેતુ ક્રિયા તન્મયતાપૂર્વક થાય તો ધાર્યા મુજબ સફળ થાય. મોક્ષનો હેતુ ધ્યાનમાં રાખી ક્રિયા કરવી, એ પણ પરમ ધ્યાન છે. એ દૃષ્ટિએ જ ચોથે, પાંચમે તથા છઠ્ઠ ગુણસ્થાનકે ધર્મધ્યાન કહેવાય, બાકી વાસ્તવિક રીતનું ધર્મધ્યાન તો સાતમે ગુણસ્થાનકે છે; ચોથે-પાંચમે-છઠુંગૌણ પણ ધર્મધ્યાન શાથી? આત્મા મુક્તિના હેતુમય બન્યો એથી !મોક્ષનો હેતુ ધ્યાનમાં રાખી ક્રિયા કરનારને ગૌણપણે ધર્મધ્યાની કહેવાય. બાકી વાસ્તવિક રીતે તો ધર્મધ્યાન સાતમે ગુણસ્થાનકે જ આવે. ધર્મધ્યાનનો પહેલો પાયો આજ્ઞાવિચય છે, પણ જ્યાં આજ્ઞા જ મંડાતી હોય ત્યાં આજ્ઞાવિચયની વાત જ શી? જ્યાં આજ્ઞા પ્રત્યે જ પ્રેમ ન થાય, ત્યાં તદૂતક્રિયા લાવવી ક્યાંથી ? સભા : ક્ષાયિક સમકિતીને તો તતક્રિયા ખરીને ! કોણ ના પાડે છે? આજ્ઞારુચિ થઈ એટલે એ ખરું કે જેટલી શુભ કિયા આવે તેટલી તહેતુમાં જ જાય એની ક્રિયા વિષ, ગરલ કે અનનુષ્ઠાનમાં ન જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy