________________
૧૧ : પ્રભુનું શાસન એ જ સર્વસ્વ : - 61
૧૭૫
છે, પણ મતિનો ક્ષયોપશમ એવો મંદ કે ધારણા થાય જ નહિ. માસ્તર ગમે ઘેટલી મહેનત કરી સમજાવે પણ એનાથી સમજાય જ નહિ, યાદ ન રહે. એ છે મહેનતુ, ગોખે, પણ મગજ શૂન્ય : ત્યાં મગજશૂન્યતા ખરી, પણ જેને ભણવું જ નથી એ વિદ્યાર્થી જેવી નહિ. માટે તે પ્રકારની શૂન્યતાને અવિધિ દોષમાં લઈ જવાય, તેવી શૂન્યતાને માફ કરી શકાય. તદ્દન બેદરકાર હોય, ધર્મક્રિયા પ્રત્યે જેને બિલકુલ પ્રેમ નથી, તેની વાત કરવી નકામી છે. તેની વાત કરવી પાલવે જ નહિ,
પાંચ અનુષ્ઠાનોમાં કર્તવ્ય-અકર્તવ્યનો વિવેક :
આપણે પ્રથમ વિચારી ગયા છીએ કે ક્રિયા પાંચ પ્રકારે થાય છે : ૧- વિષ ક્રિયા, ૨- ગરલ ક્રિયા, ૩- અનનુષ્ઠાન ક્રિયા, ૪- તદ્ભુતુ ક્રિયા અને ૫- અમૃત ક્રિયા.
‘આમાં પહેલાં ત્રણ અનુષ્ઠાન મિથ્યાદ્દષ્ટિને હોય. ત્રીજું અનનુષ્ઠાન એટલે લોકહેરી, ગાડરિયો પ્રવાહ, એટલે મિથ્યાક્રિયા. મિથ્યાક્રિયા પ્રભુશાસનમાં નથી. ભલે પ્રભુશાસનમાં એ ક્રિયા થાય, થતી હોય, પણ એ જાય મિથ્યાત્વમાં. આ લોકની પૌલિક સાહ્યબી માટે ધર્મક્રિયા કરાય, તે ધર્મક્રિયા છતાં વિષક્રિયા. સામાયિક, પૂજા વગેરે છે ધર્મક્રિયા, પણ એમાં આ લોકની સુખસાહ્યબીની અભિલાષા આવી, એટલે એ વિષક્રિયા થઈ ગઈ. વિષ અને ગરલ એ બેય ઝેર, પણ એમાં ફેર એ કે વિષ તરત મારે જ્યારે ગરલ રિબાવી રિબાવીને મારે. એથી પરલોકના પૌદ્ગલિક સુખની ઇચ્છાએ થતી ધર્મક્રિયા તે ગરલ ક્રિયા. ‘બધા કરે છે અને હું ન કરું તો સારું નહિ.' આ રીતે થતી ક્રિયા તે અનનુષ્ઠાન ક્રિયા : સંમૂર્ચ્છિમ જેવી ક્રિયા : ગાડર ક્રિયા. આ ત્રણ મિથ્યાદૃષ્ટિને હોય. દગ્ધ દોષ તથા શૂન્ય દોષ, આ ત્રણ અનુષ્ઠાનમાં આવી જાય. પૌદ્ગલિક સાહ્યબીની ઇચ્છાથી કરાતી ક્રિયા થાય છે, કેમ કે તેના અંતરમાં પૌદ્ગલિક સુખની ચાહના જીવતી ને જાગતી છે. અનનુષ્ઠાન ક્રિયા તો એ કે ‘ઠીક ન લાગે' માટે કરે. કેટલાય એવા છે કે મંદિર તથા ઉપાશ્રયને માને નહિ, પણ સંવત્સરીને દિવસે તો આવે. ‘ન જાઉં તો ખરાબ દેખાય' - એમ ધારીને આવે. મહાવીરશ્રીના જન્મવાંચન દિવસે ગમે ત્યાં હોય તો પણ આવે. ન આવે તો કોઈ કહે કે ‘આજ પણ નહોતો ગયો !' માટે આવે. કુલાચારરૂપ થઈ ગયું. સંવત્સરી પડિક્કમણું કરે તો સંતાઈ રહે. મૂંઝાય કે ‘કોઈ જોઈ જાય તો હાંસી થાય !' પડિક્કમણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org