________________
૧૭૪ –
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
-
914
થાય ત્યારે તો આવે. એને એમ કહેવામાં આવે કે “અવિધિએ કરીએ તો તો પાપ જ લાગે અને પુણ્ય કરતાં પાપ જ બંધાય' - તો તો તરત જ પેલાને થાય કે વિધિ તો કઠણ છે, એ આપણાથી થાય એમ નથી, આપણે એટલા નવરા પણ નથી અને અવિધિથી તો ઊલટું પાપ જ લાગે છે, માટે કાંઈ નહિ, કરવું જ નહિ.' એમ વિચારીને તે નાસવા જ માંડે. આથી જ ઉપકારીઓ ફરમાવે છે કે “ક્રિયામાં અવિધિ હોય છતાંયે હૃદયમાં ભક્તિ હોય તો એ ભક્તિ મોક્ષની દૂતી છે.' પણ આટલી શરત કોને માટે? જે આત્મા અવિધિથી ડરે અને વિધિને ઇચ્છે તેને માટે, પણ અન્યને માટે નહિ ! એવા આત્માને કોઈ કહે કે “આ અવિધિ' તો તે તરત જ ડરે અને પસ્તાય. કોઈ બતાવે કે “વિધિ આ તો “હા” કહે, પણ સામે “ના” ન કહે. કારણ કે એના હૃદયમાં વિધિની ભાવના જીવતી અને જાગતી હોય છે. અને તે ક્યારે વિધિ પળાય' – એવું ઇચ્છે. આથી-હાંક્ય રાખો-એવું ન કરતા હોં ! આપણો મુદ્દો એ છે કે કોઈ એમ કહે કે “અવિધિ નીકળી જ જાય અને વિધિ આવડે ત્યારે જ ધર્મ કરું.' - એને શાસ્ત્ર કહે છે કે તું કરી રહ્યો ભાઈ !' નાચતાં આવડે પછી જ ધૂઘરા બાંધું અને પગ ઉપાડું, એમ માને એને નૃત્યકળા આવડે જ નહિ. પ્રથમ તો પગ પડે, આખડે, વાંકોચૂંકો પણ પડે, ત્યારે અમુક કાળે નૃત્યકળા આવડે. શરૂઆતથી જ એમ કહે કે આવડે ત્યારે જ પગ ઉપાડું'—એને સંગીતશાસ્ત્રી પણ ઘેર પાછા જવાનું જ કહે. તે જ રીતે શુદ્ધ ભાવનાથી અવિધિપૂર્વક ક્રિયા કરનાર પણ કરતાં કરતાં વિધિને મેળવશે, પણ નહિ કરનારો ક્યાંથી પામશે?અભ્યાસકાળની, શરૂઆતની ક્રિયાની અવિધિ એ એવો દોષ નથી, કે જેવો અને જેટલો ગુણ ભક્તિમાં રહ્યો છે. દષ્પદોષ શૂન્યદોષ એ તો જબરા : એ દોષો હોય ત્યાં પ્રાયઃ ધર્મ નથી, હતો. દગ્ધ હૃદયવાળો એટલે બળેલો શૂન્ય દોષવાળો એટલે એને વિચાર જ નહિ. સંમૂર્શિમ જેવો. પંચેદ્રિય છે એટલે સંમૂર્છાિમ તો ન કહેવાય, પણ એના જેવો. શૂન્યતાના બે પ્રકાર પાડી શકાય. એક તો વસ્તુ પ્રત્યે પ્રેમ જ નહિ તેથી શૂન્યતા આવે છે. પ્રેમ જ ન હોય ત્યાં ધર્મ ક્યાંથી હોય ? બીજો વસ્તુ પ્રત્યે પ્રેમ તો હોય, પણ એનું મન ધારી શકે તેવું ન હોય એને લઈને શૂન્યતા આવે છે. આ બીજા દોષને અવિધિ દોષમાં લઈ જવાય, કેમ કે એને પ્રેમ તો છે, પણ તથા પ્રકારના મનની ખામી છે. જેમ એક વિદ્યાર્થી એવો છે કે જેને ભણવાની ઇચ્છા જ નથી, એને ભણવું જ નથી. બીજો એક એવો છે કે એને ભણવું જરૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org