________________
૩
- ૧૧ : પ્રભુનું શાસન એ જ સર્વસ્વ : - 61
- ૧૭૩
જે નિયત હોય તે માટે તો, બીજો વિચાર જ નહિ. પૂજા, ભક્તિના એ વખતમાં દુનિયાની કાર્યવાહીનો નિષેધ છે, માટે “નિસહિ' કહી એ સમજાય તો હમણાં ચિત્ત ચોંટે અને ખોટી માગણી પણ ન થાય, કિંતુ સાચી જ માગણી થાય, પણ ભાવના સારી જોઈએ. જો ભક્તિમાં બરાબર સારી ભાવના જામે, તો ત્યાંથી ગયા પછી પણ પેલી દુનિયાદારીની ચીજો દબાવી શકે જ નહિ. એ બે કલાક એવા થાય કે પછીના કલાકોમાં પણ દુનિયાદારીની ચીજ સતાવી શકે નહિ. પણ હજી “નિસીહિબોલવામાં જ પોલાણ હોય ત્યાં શું થાય ? આજે બોલનારા ‘નિસાહિ-નિસાહિ-નિશીહિ' એમ ત્રણ વાર સાથે બોલી જાય, કારણ કે બોલવામાં વાંધો શો છે? કોને ખબર કે કેટલીવાર ક્યાં ક્યાં બોલાય ? રાજદ્વારમાં જેમ દ્વારપાળ હોય તેમ મંદિરમાં નિશીહિ' એ દ્વારપાળ છે. રાજદ્વારમાં જેમ પ્રથમ હુકમ જોઈએ અને તે પછી પેસાય, તેમ અહીં પણ “નિસીહિ' બોલ્યા પછી પેસાય. ‘નિસીહિ' એ દુનિયાદારીની ચીજોના વિચારના ત્યાગની કબૂલાત છે. બહારનો કચરો લઈને અંદર આવે એ અંદર આવીને કરે પણ શું ? આરાધનામાં વિધિનું મહત્ત્વ શા માટે? એ સમજો !
સભા : ત્યારે અવિધિથી કરવા કરતાં તો ન કરવું એ જ સારું ને ?
નહિ જ. એમ કદી જ નહિ. અવિધિ ન થાય એની કાળજી રાખવી જોઈએ, બાકી વિધિના રસિયા માટે શાસ્ત્ર અવિધિદોષને પણ ગૌણ લેખ્યો છે. બધાયે શરૂથી સંપૂર્ણ વિધિપૂર્વક ક્રિયા કરી શકે તેમ હોતું જ નથી. કેટલાક કહે છે કે “અવિધિએ કરવા કરતાં ન કરવું સારું. પણ એ કથન ઠીક નથી. જો એમ જ કહેવામાં આવે તો તો વસ્તુનો જેને ખપ જ નથી તેવાને ખસતાં વાર પણ
ક્યાં છે ? આજના આત્માઓને સારી ક્રિયાઓથી ખસી જતાં વાર લાગે તેવું છે પણ ક્યાં ? આ જ કારણે પરમોપકારી ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા કહે છે કે “જેનામાં વિધિ સ્થાપવાની તાકાત ન હોય તેણે અવિધિદોષથી ક્રિયાનો ઉચ્છેદ ન કરવો અને એવી રીતે જે ક્રિયામાર્ગનો ઉચ્છેદ કરે તો તે શાસનનો જ ઉચ્છેદ કરનાર છે.”
આજ કાલના જ નહિ પરંતુ મોટે ભાગે પ્રાયઃ મહામુશીબતે તો શુભ ક્રિયા કરવા આવે. પૂજા , સામાયિક વગેરે કરવાની બહુ બહુ ભલામણો અને પ્રેરણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org