________________
૧૭૨ –
– આચારાંગસૂત્રના વ્યાખ્યાન - ૪
-
92
પણ ઠીક લાભ થાય, આ જે ભાવનાની મલિનતા છે, તે લોકોત્તર મિથ્યાત્વ છે તે ન હોવું જોઈએ. આવકમાંથી આપવું એ તો ત્યાગ છે અને ત્યાગની તો ના અહીં હોય ? હોય જ નહિ. મંદિરમાં ભક્તિ કરો અને એ ધર્મના પ્રતાપે લાખો મળે તેનો વાંધો નથી ? કારણ કે ધર્મનો પ્રભાવ છે કે મળે, પણ એ મળે' એવી બુદ્ધિ ન હોવી જોઈએ. મુદ્દો એ છે કે દેવ, ગુરુ, ધર્મ અગર કોઈ પણ શુભ ખાતાની, શુભ કાર્યની ભક્તિમાં ઇરાદો ધનનો ન જોઈએ. ધર્મની આરાધના માત્રમાં મુક્તિની ભાવના જોઈએ, પણ ધન વધે તે ભાવના ન જોઈએ, તે છતાં પણ તમે જુઓ તો જણાશે કે એ ભાવના લગભગ સર્વત્ર પ્રવેશ પામતી જાય છે. કોઈ કોઈ સમજદારમાં, એટલે કે વસ્તુતત્ત્વના જ્ઞાતામાં એ ભાવના ન હોય તે વાત જુદી છે, પણ એ સમજ ક્યારે આવે ? આ વસ્તુ પ્રત્યે-ધન વગેરે દુનિયાદારીની વસ્તુ પ્રત્યે મમત્વ ઘટે તો જ એ સમજ આવે. મમત્વ હોય ત્યાં સુધી તો ધર્મક્રિયામાં પણ એ ઘૂસે. દરેક ક્રિયામાં શાસ્ત્ર બંધન બાંધ્યાં કે એવા દઢ નિશ્ચયવાળા થાઓ કે ત્યાં બીજો વિચાર જ ન આવે. બહારની વાસના ખસે તો જ એ સ્થિતિ આવે. જ્ઞાનીએ ધર્મ તેને કહ્યો છે કે જ્યાં પેલી વાસના ન હોય. જિનપૂજા શા માટે:
શ્રી જિનપૂજામાં પણ અર્થકામની વાસના આવે, તો પૂજા એ ધર્મ પણ અધર્મરૂપ થાય. કોઈ કહે કે વાંધો શો ? વાંધો એ કે ધર્મ ધર્મરૂપે મટી અર્થકામરૂપ થઈ જાય એ ! જે આત્માને દેવ, ગુરુ અને ધર્મ કરતાં અર્થકામની કિંમત વધારે લાગે છે, તે આત્મા પૂજા દેવ, ગુરુ કે ધર્મની નહિ પણ અર્થકામની જ કરે છે. એવા આત્માની સામે પ્રભુની મૂર્તિ તો માત્ર નામની જ રહે છે, કારણ કે મૂર્તિ સામે પણ એની ભાવના એ જ હોય કે “તું મહા પ્રભાવવંતી છે, એટલે તારી સેવાથી મને લીલાલહેર થાય.' એ રીતે મૂર્તિની પૂજા કરતાં ઘર સળગ્યાના સમાચાર આવે કે મૂર્તિને પડતી મૂકીને તરત જ ભાગે, કેમ કે ત્યાં પણ તેની મમતા તો બેઠી જ છે. જો મમતા છૂટી હોય તો ન ભાગે. વિચારો કે ભક્તિમાં મમતાવાળો ટકે કે મમતા વગરનો ? ક્રિયામાં જે તન્મયતા આવવી જોઈએ, તે બાહ્ય પદાર્થોની મમતા ઘટે ત્યારે જ આવે.
મંદિરમાં પેસતાં બોલાતી “નિસીહિ'નું સ્વરૂપ સમજાય તો હમણાં પ્રેમ જાગે : જરૂર એને એમ થાય કે આટલા સમય માટે તો, પા કલાક કે બે કલાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org