________________
$11
૧૧ : પ્રભુનું શાસન એ જ સર્વસ્વ ઃ
-
61
કરવામાં આવે : જેમ લોક જેમાં આરંભ-સમારંભ વગેરેની પુષ્ટિ કે વૃદ્ધિ થતી હોય, તેને પણ ‘ધર્મ’ તરીકે માનવા તૈયાર હોય છે, તેમ અહીં ચાલે તેમ નથી : અહીં તો ‘ધર્મ' તે છે કે જેની આગળપાછળ હિંસા, આરંભસમારંભ અને વિષયકષાયની પરંપરાની પુષ્ટિ કે વૃદ્ધિ ન હોય. ધર્મકરણીનાં સાધન તે નથી કે જે પામીને આત્મા પાપની ક્રિયામાં વધુ રત થાય. છતી વસ્તુનો સદુપયોગ તે ધર્મ, પણ ધર્મ માટે વસ્તુ પેદા કરવી તે અધર્મ, એ આપણે કહી ગયા છીએ તે અહીં બરાબર ઘટે છે. ધર્મના હેતુથી જો વસ્તુ પેદા કરવાની હોય, તો ધર્મ તો આવશે ત્યારે આવશે, પણ તે માટે વસ્તુ પેદા કરતાં આરંભ-સમારંભમાં અને એ જ વિચારોમાં આત્મા ચાલ્યો જાય તો એટલે કે ખતમ થઈ જાય તો શું થાય ?
Jain Education International
૧૭૧
નાશવંત પદાર્થો મેળવવાની ભાવના એ કયું ધ્યાન ? કહેવું જ પડશે – આર્તધ્યાન. એના એ જ ધ્યાનમાં આત્મા મૃત્યુ પામી જાય તો દુર્ગતિ જ થાય ને ? આથી જ હોય તેનો સદુપયોગ કરવો એ ધર્મ. પુણ્યયોગે, સહેજે વ્યવહારક્રિયામાં બેઠા છો અને મળ્યું હોય અગર મળી જાય તો સદુ૫યોગ કરો તો અહોભાગ્ય, પણ દુનિયાની ક્રિયા અમે ધર્મને માટે કરીએ છીએ, એમ ન જ કહેવાય. ધર્મને માટેની ચીજ તે કહેવાય કે જે અધર્મને માટે વપરાતી જ ન હોય. દુનિયા પાસે એવી કઈ ચીજ છે કે જે કાયમ માટે ધર્મમાં જ વાપરે ? જેની જેટલી ઉદારતા તેટલા પૂરતી તે ચીજને ધર્મ માટે વાપરે, બાકી તો સંસાર માટે છે જ. એને ધર્મ માટેની ચીજ કહેવી તે કૃષાભાષણ છે અને તે પણ માયાતૃષા છે. દશ હજાર મળે એમાંથી બે હજાર ધર્મમાં વાપરી આઠ હજાર તિજોરીમાં મૂકે, અને પછી ધર્મ માટે મેળવતો હતો એમ કહેવાય ? જો ધર્મ માટે મેળવતો હોય તો આઠ હજાર તિજોરીમાં મુકાય ? આજે સર્વત્ર લોકોત્તર મિથ્યાત્વ ઘૂસવા લાગ્યું છે. વેપારમાં પા આની, અરધી આની ધર્માદાની રાખીએ તો બાકીની સાડી પંદર આનીમાં પણ ધર્મયોગે ઠીક લાભ મળે, એ ભાવના આજે થઈ છે.
સભા : ત્યારે વેપારની આવકમાંથી પા-અરધી આનીનો વ્યય ધર્મમાં ન થાય ?
જરૂર થાય. અરધી આની શા માટે ? બાર આની કરોને ! બધો જ કરોને ! ના કોણ પાડે છે ? જેટલો ધર્મમાં વ્યય કરો તેટલો ઉત્તમ જ છે, પણ આપણો તો મુદ્દો એ છે કે એ પા-અરધી આની રાખીએ તો સાડી પંદર આનીમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org