SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાન - ૪ સમજાય. આથી એ જ નિશ્ચિત થાય છે કે સંસાર અને મોક્ષના સ્વરૂપની તથા તેનાં કારણોની ભિન્નતા જે જાણે તે જ ધર્મ બતાવી શકે, પણ જેને એમાં જ શંકા હોય તે ન બતાવી શકે. જ્ઞાનીએ સંસાર તથા મોક્ષનાં કારણોને અલગ વહેંચ્યાં છે. સંસારી ચીજો મોક્ષગામી આત્માને કદાચ સહાયક થઈ જાય, ઉપયોગી બની જાય, પણ તેથી તે ચીજો મોક્ષમાર્ગમાં સહાયક મનાતી નથી અને જો એમ મનાય તો ધર્મને ન જ આરાધાય. સંસારનાં કારણોને ધર્મના હેત તરીકે મનાય તો વિપર્યાસ જ થાય : વિપર્યાસ થયો ત્યાં મિથ્યાત્વ આવ્યું અને મિથ્યાત્વ હોય ત્યાં બધી જ કરણી નિષ્ફળ થાય : એ જ કારણે જ્ઞાનીએ એ કહ્યું કે મિથ્યાત્વ હોય ત્યાં સુધી જ્ઞાન, તપ અને ચારિત્ર પણ સફળ ન થાય. જે જ્ઞાન, જે ચારિત્ર અને જે તપ મુક્તિનું સાધન છે, તે જ મિથ્યાત્વના યોગે સંસારનું સાધન બને છે. આથી અમુક ચીજ ઉપયોગમાં આવી જાય માટે તે મોક્ષમાર્ગમાં જરૂરી જ છે, એમ ન જ મનાય. માટે સૌથી પ્રથમ જ ઉપકારી મહર્ષિઓએ ફરમાવ્યું કે ધર્મના ઉપદેશ માટે સ્વતંત્રપણે શ્રી તીર્થંકરદેવ, સામાન્ય કેવલી અને શ્રુતકેવલી જ અધિકારી છે, પણ બીજા નહિ. આથી સ્પષ્ટ છે કે સ્વતંત્રપણે એકલા તીર્થંકરદેવ જ દેશના નથી દેતા, પણ તે તારક, સામાન્ય કેવલી અને શ્રુતકેવલી ભગવાનો પણ, સ્વતંત્રપણે ધર્મનું કથન કરે છે : કારણ કે શ્રુતકેવલી ભગવાનો પણ શ્રી જિનેશ્વરદેવોના શાસનમાં કેવલજ્ઞાની જેવા કહેવાયા છે. તે સિવાયના બીજા શ્રુતજ્ઞાનીઓ, કે જેઓ પોતાની યોગ્યતાના યોગ ગુર્નાદિથી દેશનાનો અધિકાર મેળવી ચૂક્યા છે, તેઓ તો પ્રભુઆગમને અનુસરીને જ ધર્મનું કથન કરે. આ રીતે કેવલજ્ઞાની મહર્ષિઓ કેવલજ્ઞાનના બળે અને શ્રુતકેવલી ભગવાન શ્રુતજ્ઞાનના બળે જાણીને ધર્મનું કથન કરે અને અન્ય વાતો અન્ય જ્ઞાની મહર્ષિઓ આગમને અનુસરીને જ ધર્મનું કથન કરે. જ્ઞાનીની ધમંદશનામાં સંસારપુષ્ટિની વાત ન હોય ? જે સમ્યપ્રકારે જીવાદિક પદાર્થોને જાણી શકે, તે દેશના દે ત્યારે લોકોને થાય કે આવું જ્ઞાન બીજે કોઈ જ સ્થળે નથી. તે તારકોની વાતવાતમાં લોકોત્તરતા જ જણાય. આવા લોકોત્તર શાસનના ધર્મોપદેશકો જો લોકોની ભેગા ભળી જાય, તો શ્રોતાઓને તેમાં લોકોત્તરતા ન જણાય. “ઇતરમાં નથી તે અહીં છે'-એમ ત્યારે જ જણાય કે જ્યારે વસ્તુને વસ્તુ તરીકે પ્રકાશિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy