________________
૧૧ : પ્રભુનું શાસન એ જ સર્વસ્વઃ
પ્રશ્નો અને ઉત્તરો :
સૂત્રકાર મહર્ષિશ્રી સુધર્માસ્વામીજીએ તથા ટીકાકાર મહર્ષિશ્રી શીલાંકસૂરિજીએ છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશામાં “સ્વજનધૂનન'ની પીઠિકા કરતાં ફરમાવ્યું કે અનાવરક જ્ઞાનના યોગે સ્વર્ગ તથા મોક્ષ અને તેનાં કારણો તેમ જ સંસાર અને તેનાં કારણોને સમ્ય પ્રકારે જાણતા એવા શ્રી તીર્થંકરદેવ મનુષ્યલોકમાં મનુષ્યોને ઉદ્દેશીને ધર્મનું નિરૂપણ કરે છે. અર્થાતુ-ઘાતી કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલ નિરાવરણ જ્ઞાન (કેવળજ્ઞાન)ના સ્વામી શ્રી તીર્થંકરદેવ, મનુષ્યભાવમાં રહ્યા છતાં જ, પોતે કૃતાર્થ થયા છતાં પણ પ્રાણીગણના હિત માટે, દેવ અને મનુષ્યોની સભામાં ધર્મની દેશના આપે છે. “કૃતાર્થ થયા છતાં ધર્મદેશનાની આવશ્યકતા શી ?' - આ પ્રશ્નના સમાધાનમાં પણ આપણે જોઈ ગયા કે “શ્રી તીર્થકર નામકર્મને વેચવા માટે શ્રી તીર્થંકરદેવો પણ દેશના આપે છે. જગતના શ્રેય માટે શ્રી તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું છે, તે કારણથી એ નામકર્મના યોગે જગતના શ્રેય માટે શ્રી તીર્થકર ભગવાનો પણ ધર્મદેશના આપે છે.
હવે સૂત્રકાર મહર્ષિ અને ટીકાકાર મહર્ષિ બન્નેય મળીને આપણને “જેમ સ્વતંત્રપણે શ્રી તીર્થંકરદેવ દેશના આપે છે; તેમ બીજા પણ કોઈ આપે છે યા નહિ ? - આ વાત સમજાવતાં ફરમાવે છે કે
"किं तीर्थंकर एव धर्ममाचष्टे उतान्योऽपि ?, अन्योऽपि यो विशिष्टज्ञान: सम्यक्पदार्थपरिच्छेदी सधर्माविर्भावनं करोतीति दर्शयितुमाह
"जस्स इमाओ जाइओ सव्वओ सुपडिलेहियाओ भवंति ।"
यस्यातीन्द्रियज्ञानिनः श्रुतकेवलिनो वा 'इमाः' शस्त्रपरिज्ञायां साधितत्वात् प्रत्यक्षवाचिनेदमऽभिहिताः 'जातयः' एकेन्द्रियादयः 'सर्वतः' 'सर्वेः प्रकारैः सूक्ष्मबादरपर्याप्तकापर्याप्तकरूपैः सुष्ठु-शङ्कादिव्युदासेन 'प्रत्युपेक्षिताः' प्रति उप-सामीप्येन ईक्षिताः ज्ञाता भवन्ति स धर्ममाचष्टे नापर इति ।"
“શું શ્રી તીર્થંકરદેવ જ ધર્મનું કથન કરે છે કે કોઈ બીજા પણ ધર્મનું કથન કરે છે?' - આ પ્રકારનો પ્રશ્ન કરી આગળના સ્ત્રાવયવની અવતરણિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org