________________
૧૧ : પ્રભુનું શાસન એ જ સર્વસ્વઃ
61
• પ્રશ્નો અને ઉત્તરો :
• આરાધનામાં વિધિનું મહત્ત્વ શા માટે ? એ સાધનો સંસારનાં અને મોક્ષનાં
સમજો ! • જ્ઞાનીની ધર્મદેશનામાં સંસારપુષ્ટિની વાત ન • પાંચ અનુષ્ઠાનોમાં કર્તવ્ય-અકર્તવ્યનો વિવેક: હોય.
• પ્રભુઆજ્ઞા માટે એકલા પડીએ તો પણ શું? • જિનપૂજા શા માટે ?
• એવાથી આઘા રહેજો !
વિષયઃ દેશના કોણ દઈ શર્ટ ? જિનપૂજાદિમાં વિધિ-અવિધિ કોની કેટલી
ચલાવાય? પાંચ અનુષ્ઠાન. આજ્ઞા માટે સર્વસ્વત્યાગ એ જ કર્તવ્ય. પ્રસ્તુત પ્રવચનમાં પૂર્વના કેટલાક પ્રવચનમાં કહેવાયેલી વાતોનો ઉપસંહાર કર્યા બાદ વિધિઅવિધિ અંગે અપૂર્વ પ્રકાશ પાથર્યો છે. વિધિ સ્થાપવાની તાકાત ન હોય તેણે અવિધિ-દોષથી ક્રિયાનો ઉચ્છેદ ન કરવો' કારણ કે નવા નિશાળિયા જેવા આરાધકોમાં અવિધિ છતાં હૃદયમાં ભક્તિ હોય તો એ ભક્તિ મુક્તિની દૂતી છે. ત્યાર બાદ વિષાદિ પાંચ અનુષ્ઠાન અંગે પણ સુંદર વિવેચન કર્યું છે. પ્રભુઆજ્ઞાનું સ્વરૂપ સમજાવી પ્રભુઆજ્ઞા માટે એકલા પડીએ તો પણ શું ? એ વાત જણાવતાં ખૂબ જ ખુમારીભર્યા શબ્દોની શ્રેણી પૂજ્યશ્રીએ પીરસી કમાલ કરી છે. શાસનની આગળ બધું જ ગૌણ. એક આજ્ઞા જ પ્રધાન એ જ આ પ્રવચનનો પ્રમુખ સૂર છે.
| ଏsଯାଏ । • જેને પોતાની કદર્થના ન જોઈતી હોય, તેણે સામાની કદર્થના કરવી જોઈએ નહિ. • આજ્ઞા ન હોય ત્યાં દેખાતી અહિંસા પણ હિંસા છે. • કેવળજ્ઞાની કેવળજ્ઞાનના બળે, શ્રુતકેવળી શ્રુતજ્ઞાનના બળે અને અન્ય જ્ઞાનીઓ આગમને
અનુસરીને જ ધર્મનું કથન કરે. • ધર્મના પ્રતાપે લાખો મળે તેનો વાંધો નથી, કારણ કે ધર્મનો પ્રભાવ છે કે મળે, પણ “એ મળે'
એવી બુદ્ધિ ન હોવી જોઈએ. • જે આત્માને દેવ, ગુરુ અને ધર્મ કરતાં અર્થકામની કિંમત વધારે લાગે છે, તે આત્મા પૂજા દેવ,
ગુરુ કે ધર્મની નહિ પણ અર્થકામની જ કરે છે. • બહારનો કચરો લઈને મંદિરની અંદર આવે એ અંદર આવીને કરે પણ શું ?
મોક્ષનાં સાધનો તે પોતાનાં અને સંસારનાં સાધનો તે પારકાં લાગે : આનું નામ આજ્ઞા પ્રેમ, શાસનરક્ષા માટે અશાંતિની સગડીમાં સળગવામાં જ આત્મશ્રેય છે અને પ્રપંચીઓએ ઊભા કરેલા શાંતિના ડરથી બચવા માટે મુડદાલ શાંતિનું શરણ લઈ શાસનના શ્રેયનો નાશ થવા દેવો, તેના જેવું એક પણ ભયંકર પાપ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org