________________
----૧૦ : તીર્થંકર નામકર્મનું વદન : - 60
– ૧૬૫
હા, પણ જીવીએ તો જય પામીને, જીતીને જ.” તો જય થાય. હારીને ઘેર જવા કરતાં રણભૂમિમાં જ માથું મૂકવું, એ ઉચ્ચકોટિના ક્ષત્રિયોની માન્યતા હતી. બહાદુર રાજાઓને અણીને વખતે બચાવવા માટે પાછા વાળતાં મંત્રીઓને નવ નેજે પાણી ઊતરતું. રાજાઓ કહેતા કે “મંત્રી ! આવી સલાહ આપી અમારા કુળને કલંકિત ન કર !”
રાણા પ્રતાપ, મેવાડના મહારાણા પ્રતાપ, ધર્મટેકની ખાતર જંગલમાં રખડે છે. એનો દીકરો ભૂખ્યો થયો છે, રુએ છે. એની ભૂખનું દુઃખ ન જોઈ શકાવાથી રાણા પ્રતાપ આઘે જઈને રુએ છે. ત્યાંથી એક બાઈ વટેમાર્ગુ જાય છે, તે છોકરાને રોતો જોઈ રોટલો આપવા માંડે છે. રાણાનો દીકરો નથી લેતો. એ કહે છે કે “હું પ્રતાપનો દીકરો, હાથ ન ધરું, ભીખ માંગીને હું ન ખાઉં.” બાઈ પણ કહે છે કે “જાતવાનના દીકરા આવા જ હોય - ટેકીલાના દીકરા ટેકીલા જ હોય !” આ સંસ્કાર હતા. પ્રતાપે રાજપાટ કેમ કર્યું ? વનમાં કેમ રહેતો ? ત્યાં પણ કઈ દશા ? જમતા હોય અને ખબર મળે કે મુગલો આવે છે કે ભાગે. એક જ હેતુ કે ધર્મટેક સચવાય. આ ટેક સમ્યગ્દષ્ટિમાં આવી જાય, તો ધાર્યું થાય. પણ વચ્ચે તોંતેર મણનો “તો' છે. જાતે એ “તો' ઉપાડવા મથો તો તલ જેવો અને ઓકી બીજા ઉપર ફરજ મૂકો તો તોંતેર મણનો છે. જો એ “તો' નીકળી જાય, તો કાલે સવારે પ્રભાત, અને થોડા જ સમયમાં મધ્યાહ્નકાળ. મધ્યાહ્ન પણ એવો તપે કે ન પૂછો વાત : પણ એ “તો' ન જાય ત્યાં સુધી શાસનની પ્રભાવના ન થાય. શાસન તો પ્રભાવવંતુ છે માટે આટલું દીપ્તિમાન છે, પણ આપણે કાંઈ ન કરીએ તો નિર્જરા વગેરે કંઈ જ લાભ ન મળે. એ બધું જોઈએ તો શાસનને સેવો. સાચો સુરતરુ એ જ છે. થોડી જિંદગી ચાલી જશે અને જેમ ઘણા ગયા તેમ કાળના ગર્ભમાં ગબડાઈ જવાનું છે, માટે થાય તે કરી લેવું એ જ યોગ્ય છે. અસ્તુ. હવે આપણે એ જોવાનું છે કે શ્રી તીર્થંકરદેવો સિવાય અન્ય કોઈ ધર્મનું કથન સ્વતંત્રપણે કરે યા નહિ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org