SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - – મ. જાણીને વાત કરતા હોત, તો લહેજત આવત : એ વાતમાંયે કેટલાયની નિર્જરા થાત. સભ્યતાથી, માણસાઈથી સામે આવી બોલતો હોત, તો એ વાતોમાંથી હજારો સત્ય વસ્તુને પામત : એ વાતો પણ એવી છે કે ઇતરનું પણ શિર નમી જાય. નવાને પણ નવું જાણવાનું મળે ! “દીક્ષા આવી ને તેવી, ગાંડી ને ઘેલી' - એ પણ જાણ્યું ક્યાંથી ? સમજ્યા ક્યાંથી ? એક એક દીક્ષિતના ઇતિહાસ વાંચો અને વિચારો. દીક્ષા શું, કેમ થાય, કેમ અપાય, એ તો જાણે પણ નહિ, અને આજનાઓ તો શાહી લઈને કાગળ કાળા કરતાં જ શીખ્યા છે ! ચેલેંજ આપી તો કહે કે એ તો જન્મથી વળગેલી છે. પણ તેમાંની ચોખ્ખી, સીધી અને સાદી વાતને પણ સમજી શકતા નથી. તેમાં મજેની, ચોખ્ખી અને ચટ્ટ વાત છે કે સામે આવો એટલે નિર્ણય કરીએ. આગમ મોજદ છે. આની સામે મશ્કરી તથા ઠેકડી અને હો-હો આનું કારણ ? શાંતિ-અશાંતિની વાતો કરનારા આવોને ! ઇતરને પણ કહ્યું હતું કે “આવો અને સમજો - લેભાગુના લેખોથી મુંઝાઓ નહિ. જૈન દીક્ષા શું છે, કેમ લેવાય છે અને કેમ અપાય છે તે જુઓ, પૂછો, અને વિચારો - બાકી પુણ્યવાન ચડે અને પાપી ગબડે, પણ તેથી કાંઈ વસ્તુ ખોટી ઠરતી નથી. જે વેપારી હજારોનાં પેટ ભરે છે, તે જ વેપારથી સેંકડો ભીખ માગતા થયા, એ કાંઈ વેપારની ખામી છે ? શું એથી વેપારી વેપાર નહિ કરે ? આ પ્રશ્નના ઉત્તરમાં નહિ જ બોલો ? વારુ, જે વાહન તારે તે જ આવર્તમાં ભરાય તો ડુબાડે, પણ એથી વાહન તજાય કે વાહન આવર્તમાં ન ભરાય એવી કાળજી રખાય ? સ્ટીમરો કેટલી ડૂબે ? ઘણીયે, છતાં બંધ કેમ ન થઈ ? બંધ તો ન જ થઈ પણ તેમાં જેને જેને જરૂર છે તે બધાયે બેસવા જાય છે અને સગાં-વહાલાં મૂકવા પણ જાય છે, કારણ કે જરૂર છે. તેમ અહીં પણ સમજો. અસ્તુ. પ્રતાપ રાણા ને ધર્મટેક! શ્રી તીર્થંકરદેવો પરતંત્રતાથી દેશના નથી દેતા. સામાન્યત: યા કર્મજન્ય પરતંત્રતા માનવામાં વાંધો નથી, કેમ કે સંપૂર્ણ સ્વતંત્રતા તો મુક્તિમાં જ છે. એ તારકોની દેશનાથી અનેકાનેક આત્માઓ તરી ગયા, તરે છે અને તરશે, પણ અયોગ્ય આત્માઓ ડૂળ્યા, ડૂબે છે અને ડૂબશે. આથી જ કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે “એ રાંકડો શું ધર્મ કરી શકશે, કે જે પૈસા પણ ન છોડી શકે ?” આ તો સૌને પગ તળે રેલો ન આવે એ જ સાચવવું છે એ દશામાં શાસનની સેવા થાય શી રીતે ? એ ભાવના આવે કે “મરીએ તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy