________________
| 008 – ૧૦ તીર્થંકર નામકર્મનું વેદન - 60 – ૧૬૩ તોય, તેને ભંડારો ભરી આવવા જોઈએ. વગર નામે ચેકો આપી આવવા જોઈએ. આ સિવાય કેવળ તાળી પાડ્યું કે જય બોલ્યુ કાંઈ રક્ષા થાય?
નમસ્કાર પાછળ શું જોઈએ તે તો કહો. ચૈત્યવંદનના ખમાસમણ પહેલાં અગ્રપૂજાની વિધિ છે. તેમાં આવતી અક્ષત પૂજામાં સાથિયો કરોને ? અક્ષત અને સાથિયો એ તો નિમિત્ત છે, વિચારનું આલંબન છે, પણ એની પાછળ શું?
સભા : ચાર ગતિને ચૂરવાનું વિચારવાનું.
એક ગતિમાં મળેલા કૂકા તો ચૂરાતા નથી, તો અક્ષતના સાથિયાથી ચાર ગતિ ચૂરાવાનું વિચારવા માત્રથી કાંઈ ચારે ગતિ ચૂરાઈ જાય ? સાથિયો તે તો કબૂલાત છે, એ યાદ રાખવાનું ને ! પણ રોજ જૂઠી સહી અને બનાવટી દસ્તાવેજ કરવાનું ઇરાદાપૂર્વક જ ચાલુ રહે ત્યાં શું થાય ? નમસ્કારની પાછળ શું જોઈએ એ જાણો છો ? જોવું, પૂજવું, પ્રમાર્જવું અને તે પછી ખમાસમણ. એની પાછળ જે જોઈએ તે જોઈશે કે નહિ ? “ભગવાન શ્રી મહાવીરદેવની જય.” તે “જય' તો છે જ. એમની તો રોજ જય જ છે, કારણ કે દેવગુરુનો કદી જ “ક્ષય' નથી, પણ સદાય જય જ છે : પણ જય બોલનારા પાસે જય કરવાની તૈયારી છે કે નહિ ? કે જય બોલનારા જ ક્ષય કરનારા છે ? સલ્તનત શબ્દ બોલે એની પાછળ બળ છે. વાઇસરૉય કહે કે “ભારે પડશે' કારણ કે તેની પાછળ બળ છે. સામગ્રીની ચોમેર તૈયારી હોય જ. આથી સ્પષ્ટ જ છે કે “મારું ઘર ને મારી પેઢી, મારું ઘર ને મારી પેઢી' -કર્થે ચાર ગતિ ન જ ચૂરાય.
સભા : પૂરી વિધિ પણ જાણતા નથી.
ભાઈ ! રહેવા દો ને ! કેટલાક જાણે છે પણ તાણે એવા છે. હવે વિચારો કે આવાઓ પાસે સ્વજનધૂનન કરાવવું છે, તે થાય શી રીતે ? સ્વજન તો ઘેર રહ્યાં, પણ થોડા ફૂકાનું પણ ધૂનન ક્યાં થાય છે? છેવટે સ્વજનની સાથે રહીને થાય તેટલું તો કરવું જોઈએ કે નહિ ? સ્વજનધૂનન અમથું નહિ થાય. કાચા સૂતરના તંતુનો અવાજ સહેજ, દોરીનો વધારે, જાડી દોરી તોડવી હોય તો તેથીય વધારે અને લોઢાની સાંકળનો અને તેમાં પણ જાડી સાંકળનો અવાજ કેવો ? ભયંકર અને તેમાંથી તણખાય ખરે. પડવાના ભયે માર્ગ બંધ ન કરાય ?
સ્વજનધૂનનમાં સ્વજનને આઘાં બેસાડવાં જ પડશે. સ્વજનોને તજીને દીક્ષા કેમ લેવાય છે અને દેનારાઓ તરફથી કેમ દેવાય છે એ જાણતા હોત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org