________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૪
બહુ બાકી છે. શ્રાવકજીવન કેમ જિવાય, એ નિશ્ચય કર્યો છે ? શ્રાવકને ઊંઘ ન આવે, કોળિયો ગળે ન ઊતરે, એવો આક્રમણકાળ શાસન ઉપર છે. આવા સમયે ખાવું ભાવે કેમ ?, ઊંઘ આવે કેમ ? એ સમજાતું નથી. તમે ભૂખ્યા રહો એમ હું નથી કહેતો, પણ હૃદયમાં વસ્તુ વસે, તો સમય કહે છે કે આજે આનંદ ન હોય, ખાનપાનમાં એ રાચે જ નહિ. જે જે ધર્મપ્રવૃત્તિ ઢીલી પડી છે, અટકી છે તે શરૂ કરે, એને સહાય કરે. સાધનના અભાવે સહાયયોગ્ય ધર્મસંસ્થાઓ શિથિલતા ભોગવી રહી છે, એનો પાયો મજબૂત કરે. પાયો મજબૂત હોય તો પ્રહારની પંચાત ન હોય. પ્રહાર નડે જ નહિ. પ્રહાર કરનાર જ ભટકાઈને પાછા પડે. સામગ્રી તો એવી છે કે એક આદમીથી માત્ર એક આંગળીથી ભય નસાડાય. પણ ખામી જ જુદી જાતની છે.
૧૬૨
તનધારી તનસેવા, બુદ્ધિધારી બુદ્ધિની સેવા અને લક્ષ્મીવાનો લક્ષ્મીની સેવા આપે, તો શાસનસેવા સુંદરમાં સુંદર થાય. શરીરાદિકની સેવામાં કાપ ન પડે, તેની મમતા ન છૂટે, તો શાસનસેવા થવી એ કઠિન જ છે.
902
આજે જેઓને શાસનની લગની છે, તેઓ તો ઊંઘતા પણ નથી. હું તમને પૂછું છું કે તમારી પેઢી ડૂબવા માંડે ત્યારે તમને ઊંઘ આવે છે ? ખાવું ભાવે છે ? નહિ, તો શું આજે શાસન ઉપર આક્રમણ કેમ છે ? આક્રમણ સામે આક્રમણ નહિ, પણ બચાવની સેવા તો બરાબર કરવી જ પડે ને ! કર્મના અશુભ ઉદય વખતે કર્મની તાકાત નથી કે સમ્યગ્દષ્ટિને પરતંત્ર બનાવે, અને જો પરતંત્ર બનાવે તો એ સમ્યક્ત્વની મહત્તા પણ શી ? શાસન રોમરોમ વસે, તો પરતંત્રતા આવે જ શાની ? બાકી ઇચ્છાપૂર્વકનો સ્વચ્છંદી આત્મા એ સમ્યગ્દષ્ટિ શી રીતે મનાય ? એનાથી ચારિત્રમોહનીયના ઉદયે વિરતિ ન થાય તે કાંઈ નહિ : કાંઈ નહિ એમ કહેવાય હોં ! પણ માનો કે કાંઈ નહિ, પણ જે કાંઈ અવિરતિ આદિનું સેવન કરો છો તેને અયોગ્ય માનતાં અને ધર્મને, ધર્માનુષ્ઠાનને યોગ્ય અને આરાધ્ય માનતાં શીખો તો પણ કંઈક પામ્યા એમ ગણાય. જો આ સ્થિતિ આવે તો સાચાના પક્ષ માટે ઘરબાર છોડતાં ગભરામણ પણ કેમ થાય ? શું ઘરબારને તજવાની વાત થાય ? હા, શાસનસેવા માટે ઘરબાર છોડવામાં પણ હરકત પણ શી છે ? જૈનશાસનના સેવકે તો નિરંતર શાસનની સેવા કરતી સંસ્થાઓની તપાસ કરવી જોઈએ અને સંસ્થાઓ ના પાડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org