SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ – – ૧૦ : તીર્થંકર નામકર્મનું વેદન : - 60 – ૧૬૧ દીકરો સારો ગણાય છે, પણ જે ઘરે પગચંપી કરે અને બજારમાં બાપનું અપમાન કરે, એ તો કજાત જ ગણાય છે. બહાર અપમાન કરનાર અને ઘરમાં બાપાજી બાપાજી' કરનારને બાપાજી પણ કહે કે “ધૂળ પડી તારા બાપાજી કહેવામાં ! તારા જેવા પુત્ર કરતાં તો વગર પુત્રના હોત તો પણ સારું !” તો પછી આ શાસનમાં પણ ઉદ્ધત બનીને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માનવી નહિ અને તિલક કરવું, એ કેમ જ નભે ? ભગવાન તમારા તિલક ઉપર નથી જીવતા. ભગવાનનું જીવન તથા એમની ક્રિયા એવાં અજબ છે કે જે કોઈ સાંભળે તે શિર ઝુકાવે. દુનિયા પાસે બરાબર ધરવામાં આવે તો ઇતર પણ કહે, અરે સારી દુનિયા પણ કહે કે “દેવ તો આ.' તમારે મન ઘરના દેવ તે ગળેથી પણ પકડો અને પગથી પણ પકડો : ઇતર તો એમના ગુણ તથા કાર્યવાહી સાંભળે કે નમી પડે, પણ સાંભળે શી રીતે ? આપણામાંના જ પણ ઉન્મત્ત થઈ ગયેલાઓ ભગવાનના આગમને ઇતર પાસે ખોટાં કહી આવે ત્યાં શું થાય ? પેલા જાણે કે આવા ભણેલાગણેલા, ડાહ્યાડમરા અને ડિગ્રીવાળા ગણાતા પણ, આમ કહે છે, માટે ત્યાં પોલ હશે. પછી એને પણ સમજાવવું કઠિન. આથી જ કહું છું કે તમે પરિસ્થિતિ સમજો. શાસનના પ્રચારના દરવાજા બંધ કરવાની કાર્યવાહીઓ આજે ઠેર ઠેર થાય છે. પણ તમને તેની કિંમત નથી. ‘હશે-હશે” કરો છો, પણ તારક વસ્તુનું જ પ્રકાશન બંધ થાય છે કે અનેક ભવ્ય જીવોને આવવાનાં દ્વાર બંધ થાય છે. એનું શું ? કહેશો કે “શું કરીએ !' પણ હું તમને ધીરેથી એમ કહું છું કે લાખોની મિલકત સાચવનારા તમે : સ્થળે સ્થળે પેઢી સાચવનારા તમે : લાખોનો વહીવટ હાથે કરનારા તમારામાં બુદ્ધિ નથી એ કેમ મનાય ? બુદ્ધિ તો બહુ ભરી છે, પણ જેટલી દરકાર ત્યાં છે તેટલી અહીં દરકાર નથી. જેટલી બુદ્ધિ વ્યવહારમાં ખરચો છો, તેટલી બુદ્ધિ અહીં ખરચો તો જરૂર શાસનનો પરમપ્રભાવ ફેલાવી શકો. મરણ માથે છે તોય વિચાર નથી આવતો? ખોખાં - શરીર - ની સેવા ક્યાં સુધી કરશો ? આયુષ્ય બહુ તો સો વરસનું, તેય તમારાં સો, એ તો નક્કી નહિને! સંયમની વાત દૂર રહી, પણ ત્યાં રહીને બને તેટલી સેવા કરવાની તૈયારી છે ? તમને સંયમ અકારું થઈ પડ્યું હોય ને અશક્તિના યોગે સાધુતા ન જ સ્વીકારી શકતા હો, તો હું કહું છું કે શ્રાવક તો બનો. તમે શ્રાવક નથી જ એમ નથી કહેતો. શ્રાવક તો છો પણ સંપૂર્ણ બનો. બનવું બાકી છે, હજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy