________________
૧૬૦
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
900
શાસનની પ્રણાલિકા એકેએક સાધુ, એકેએક સાધ્વી, એકેએક શ્રાવક તથા એકેએક શ્રાવિકા જાણે : જાણવી જ જોઈએ ! ન જાણે તે જાણકારને પૂછીને જ ચાલે. એમાં એક પણ ન મૂંઝાય અને તે જ શ્રીસંઘ. બાકી જે એમાં ડખો કરે તે શ્રીસંઘમાં નહિ જ. એ તો હાડચામનો માળો જ. ગમે કે ન ગમે પણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના આગમે સમજાવેલી વસ્તુ હૃદયપટ ઉપર લખવી જ પડશે. આજે નહિ માનો તો પાપનાં પરિણામ ભોગવીને પણ માનવી પડશે : કારણ કે એ માન્યા વિના મુક્તિ નથી મળવાની એ નિયત છે. મુક્તિ ન જોઈએ તે ન માને એ વાત જુદી, પણ જેને મુક્તિ ન જોઈએ તે શ્રી જિનેશ્વરદેવના શ્રીસંઘમાં પણ નથી જ. મુક્તિ ન ગમે અને વર્તમાન વાયુ ગમે તો, તમે કે હું ગમે તે હોઈએ, પણ પ્રભુના શ્રીસંઘમાં ન જ ગણાઈએ ! તમારી છાપથી મારાથી કે મારી છાપથી તમારાથી મોક્ષમાં જવાય, એ કાયદો અહીં નથી જ.
મુક્તિ જોઈએ તો સાધુ અને શ્રાવક બેયનાં શિર ઉપર ભગવાન શ્રી મહાવીરદેવની છાપ જોઈએ જ. એ છાપ તે આ ધર્મધ્વજ-રજોહરણ (ઓશો) અને ચાંલ્લો. ચાંલ્લો કચારે સચવાય ? ઓથાને માનો તો ! અને ઓઘો ક્યારે સચવાય? આગમને મનાય તો ! સભા : તિલક ન કરે તો ?
કરાવવા આવ્યું કોણ ? સત્તર વખત ગરજ હોય તો આવે અને તિલક કરે. પ્રભુની સામે જોઈ અનુજ્ઞા લઈ તિલક કરે. કપાળે તિલક કર્યા પછી જ પ્રભુને તિલક કરવા જવાય : કપાળમાં તિલક ન કરો ત્યાં સુધી પ્રભુને તિલક કરવા જવાનો અધિકાર નથી, કારણ કે વિધિ ના પાડે છે. કપાળે તિલક કરી આજ્ઞા શિરે ચડાવ્યાની કબૂલાત કર્યા પછી પૂજનનો અધિકાર છે. એમ ન થાય તો અહીં કંઈ જ કામ નથી, શંભુમેળો કરવાની શ્રી જિનેશ્વરદેવના શાસનમાં ના છે. માટે શંભુમેળો કરવાનો મોખ નથી. જે આજ્ઞા કબૂલ કરે તે જ પૂજનનો અધિકારી ! વિધિમાર્ગ એવો મજેનો છે કે જરા પણ પોલ ચાલે તેવી નથી. માટે અમારી ગરજે તિલક ન કરતા, કે ભગવાન શ્રી મહાવીરદેવને સારું મનાવવા તિલક ન કરતા, કારણ કે વીતરાગ હોવાથી તે તારક એમ માનતા જ નથી.
વ્યવહારમાં પણ પગચંપી કરનાર કરતાં બજારમાં બાપનું માન રાખનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org