________________
to – – ૧૦ : તીર્થંકર નામકર્મનું વેચન : - 60 – ૧૫૯ અસર ન થઈ. મોઢું ચડાવી લાલ આંખ કરી બહાર નીકળ્યો અને હું સર્વજ્ઞ” - એમ કહેવરાવવા લાગ્યો. ઉત્તર તો અપાણો નહિ અને પોતાની જાતને સર્વજ્ઞ કઈ રીતે મનાવાય ? પણ તે શું કરે ? મિથ્યાત્વનો ગાઢ ઉદય છે. આથી સ્પષ્ટ જ છે કે જ્ઞાની પણ યોગ્ય આત્મા ઉપર જ ઉપકાર કરી શકે છે, માટે અયોગ્ય ઉપર ઉપકાર ન થાય તેનું કલંક જ્ઞાની ઉપર ન મૂકતા.
ઉન્મત્તોની આગળ શાસ્ત્ર ધરવામાં આવે છે, ત્યારે તેઓ બોલી ઊઠે છે કે શાસ્ત્રની વાત આ જમાનામાં ન ચાલે, હવે તો નવાં શાસ્ત્રો રચવાં પડશે.” આવાઓનું કલ્યાણ શી રીતે થાય ? શાસ્ત્રાધારે સાબિત કરવાની ચેલેન્જ કરવામાં આવે છે, ત્યારે આજના ગપ્પીદાસો - જમાનાવાદીઓ કહે છે કે શાસ્ત્રને આઘાં મૂકો. શાસ્ત્રાર્થોની ચર્ચાએ કોઈનું કલ્યાણ કર્યું નથી.' આવાઓને પૂછો કે જ્યારે શાસ્ત્રાનુસારી ચર્ચાઓમાં કલ્યાણ નથી, ત્યારે શામાં છે ? શાસનસેવા ક્યારે થઈ શકે?
જે રાજ્યની સામે આજે ધમાધમ ચાલે છે, તે રાજસત્તાની નીતિ, રીતિ અને પદ્ધતિ તો જરા જુઓ ! સેંકડો જણા એક ઑફિસમાં કે ખાતામાં કામ કરે, પણ એ બધાની માહિતી ઉપરીને હોય. કાયદો આવે ત્યાં બધા એક સરખી જ રીતે ઊભા રહે, માટે રાજતંત્ર ચાલે છે. જેને અમલદારી સોંપી એને અંગે પછી બીજું કાંઈ નહિ, અને એ પણ કાયદાને તો શિર તો ઝુકાવે જ; અને એથી જે કાંઈ કરે તે કાયદો સાચવીને જ અને તેમાંય અંકુશ બધાને માટે. વાઇસરોય એટલે શહેનશાહનો પ્રતિનિધિ, પરંતુ તે પણ અંકુશમાં ! યોજના કેવી મજેની ! નિર્ણય ત્યાંથી થાય. નિર્ણય થાય તે બધા જાણે અને સાવધાન જ હોય. સાત રૂપિયાના પોલીસને પણ અમુક વખતે સાવધાન રહેવાની સૂચના મળી જાય. એ પણ સમજે કે “કાંક છે. જ્યારે કંઈ બનાવ બને ત્યારે એ કહે કે “મને ખબર હતી,' આવી સુંદર યોજના છે, માટે તંત્ર ચાલે છે. અને એમાં પણ જ્યારે ગેરવ્યવસ્થા કિંવા બિનકાયદેસર પ્રવૃત્તિઓ થવા પામે છે, ત્યારે કેવી ભયંકરતા જન્મે છે એ વિચારી શકાય છે. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે માત્ર વ્યવસ્થા જ નહિ, પરંતુ સર્વત્ર સુવ્યવસ્થા જોઈએ. અને સુવ્યવસ્થા તો જ થાય કે જો યોગ્ય કાયદા હોય અને એ કાયદાઓનું નાનાથી મોટા દરેક બરાબર પરિપાલન કરતા હોય ! એવી રીતે જૈનશાસનના તંત્રની પણ આ સ્થિતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org