________________
૧૫૮
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
—
Bes
જીવન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી તન્મય બન્યું હોય એને અંતરાય નડે જ નહિ, પરંતુ હોય તેનો પણ નાશ થાય ! સભા: પોલીસને આજ્ઞાભંગની સજા ભયંકર છે. અહીં પણ ભવિષ્યમાં ભારે ભયંકર સજા છે. સભા: પણ તે પ્રત્યક્ષથી નથી ને! આ કથન જ શ્રદ્ધાની ખામી સૂચવે છે. અસ્તુ.
આપણે પાખંડીઓની દશાનો વિચાર કરી રહ્યા છીએ. શ્રી તીર્થંકરદેવોની શ્રેષ્ઠતા, ત્યાંના દેખાવ, સામગ્રી, સંયોગને અને અતિશય આદિ વિચારીએ તો બુદ્ધિ કામ ન કરે એવું છે. તે તારક સંશય તો ટકવા જ ન દે : પાખંડીના પણ સંશયો છેદાય, તે છતાં પણ એ કહે અગર માને “કેવો યુક્તિબાજ ! ભલભલાને હા પડાવ્યા વિના કે મૌન કરાવ્યા વિના રહે જ નહિ !' કારણ કે એની મનોવૃત્તિ જ એવી હોય છે, એટલે તેઓ અવસરે બહાર જઈને કબૂલ રાખે કે “અજબ છે, ન માલૂમ શું છે, ઘણુંયે બોલીએ પણ બોલવા બારી રાખે તો ને !' કોઈ પૂછે છે “ત્યારે માનતા કેમ નથી ?' - આ પ્રશ્નોના ઉત્તરમાં પાખંડી ખાસો મજાનો જવાબ આપે કે “માને શેનું ! ત્યાં જ પ્રપંચજાળ છે ને !' સંશય છેદવાની શક્તિ પણ એવાઓને પ્રપંચજાળ લાગે. ખરેખર, સજનની સાચી શાંતિમાં પણ દુર્જનને હીનવીર્યતા જણાય, સજ્જનની ઉદારતામાં પણ દુર્જન “આગળ આવું છે માટે' - વગેરે કંઈક તુકકા ગોઠવે, કારણ કે તે બધાયમાં ઊંધું જ શોધે. એમાં ને એમાં બિચારો ધર્મીમાત્રની નિંદા કરી કરી, કર્મની જાળમાં આત્માને ફસાવી, દુર્ગતિમાં ઘસડાઈ જાય. પછી બૂમ મારે કે મરી ગયો !! - પણ પછી શો ઉપાય ?
ગીતાર્થોએ જમાવીને કહ્યું છે કે “ભગવાનમાં શંકા ! જો શંકા હતી તો એ તારકના વચનથી રાજ્ય કેમ છોડ્યું ? જેનાથી તમે આ બધું પામ્યા અને હવે આ દશા !” છતાં પણ મિથ્યાત્વના યોગે જમાલીએ ન માન્યું. ગીતાર્થોએ એની બધી યુક્તિઓ તોડી, તોયે તેણે ન માન્યું તે ન જ માન્યું. સમવસરણમાં પણ ગયો, ભગવાન શ્રી ગૌતમસ્વામી મહારાજાએ પ્રશ્નોથી એની અજ્ઞાનતા બતાવી : ભગવાન શ્રી ગૌતમસ્વામીજીના પ્રશ્નનો ઉત્તર જમાલી ન આપી શક્યો. ભગવાને સમજાવ્યો કે “એ પ્રશ્નનો ઉત્તર આ.” તો પણ જમાલીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org