SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ - - ૧૦ : તીર્થકર નામકર્મનું વદન : - 60 – ૧૫૭ થવો જોઈએ. આગમપ્રણીત બાબતોની વિરુદ્ધમાં “અમને આમ લાગે છે' - એમ બોલવાનું સર્વથા ભૂલી જાઓ. શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ આગમને શ્રદ્ધાપૂર્વક માનશો તો જ સમકિત આવશે. શુદ્ધ દેવની આજ્ઞા મુજબ આગમમાં ગોઠવાયેલી નીતિ-રીતિ મુજબ ચાલે તે જ શુદ્ધ ગુરુ છે, કારણ કે શાસનમાં રહેવું અને મતિ મુજબ ચાલવું, એ કોઈ પણ રીતે ન ચાલે. આ વાત તમને કઈ રીતે સમજાવવામાં આવે તો તમે એ સમજો ? – એ વિમાસણનો પ્રશ્ન છે. ભલે તમને તેમ ન લાગે, પણ મને તો એમ જ લાગે છે કારણ કે અનેકાનેક આધિ, વ્યાધિ અને ઉપાધિથી લદાયેલા અને સંસારના ભયંકર સંતાપથી સંતપ્ત થઈ રહેલા તમે તમારી બુદ્ધિ મુજબ વર્તે તો થાય પણ શું ? કંઈક વિચારો તો ખરા, ખરેખર, મરજી મુજબ વર્તવું એ જ એક પાખંડ છે. પાખંડીની ધમાલ પણ એના જ યોગે છે. સભા: પાખંડીને દૂર કરવાનો ઉપાય ? અરે ભાઈ ! તમે તો પાખંડીથી દૂર થાઓ. એમની સામે જઈ એમને દૂર કરવાની વાતો તો પછીની છે. તેના પરિચયથી તો તમે બચો, તમે પોતે ક્યાં સુસ્થિત છો ? તમને પોતાને પણ હજી પોતાની જાતનો અને બુદ્ધિનો ઘમંડ છે, ત્યાં શું થાય ? પાખંડીઓને દૂર કરી પાખંડથી બચવું હોય તો તમારે હજુ પ્રભુશાસનના સાચા અનુયાયી બનવું પડશે. સૈનિક તો સેનાપતિના વાવટા મુજબ વર્તે : એ ભગાડે તો ભાગે, બેસાડે તો બેસે અને સુવાડે તો સૂઈ જાય. સામેથી છૂટેલો ગોળો બરાબર કપાળે આવીને વાગશે એ ગમ સૈનિકને નથી, પણ સેનાપતિ જાણે છે માટે સુવાડે. સૈનિક પૂછવા રહે કે “શું કામ સુવાડે છે ?” - ત્યાં તો ગોળો આવે ને એ સાફ થઈ જાય. તમે જુઓ, પંદર કે વીસ રૂપિયાની નોકરી કરતો પોલીસ હુકમ નીકળે ત્યારે કેવી રીતે ઊભો રહે ! બરાબર સૂર્યનો તાપ પડતો હોય તો પણ જરાય ખસે નહિ. ગવર્નમેન્ટનો સાત રૂપિયાનો માણસ જે કામ કરે છે, તે સાતસોવાળો નથી કરી શકતો, તો શું ત્યાં બુદ્ધિ કે સત્તા વધારે છે ? નહિ, બુદ્ધિ કે સત્તા તો સાતસોવાળામાં વધારે છે, પણ ત્યાં આજ્ઞાપાલકતા – આજ્ઞાપાલન છે, માટે એ વધારે કરી શકે છે. અહીં એ આજ્ઞાપાલનવૃત્તિ કેમ નથી ? સુયોગ્યની છાયા નીચેના આજ્ઞાપાલનથી કુદરતી રીતે સીધું જ થાય, ઊંધું થાય જ નહિ. જેનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy