SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૪ છે, કારણ કે એમનું કર્મ એવું છે કે એના ભોગવટાની શરૂઆત થઈ કે બધાને શાંતિ આપે. એકનું નામ સાંભળતાં અશાંતિ થાય અને એકનું નામ સાંભળતાં શાંતિ થાય, કારણ કે નામ સાથે યોજાયેલા કર્મનો એ પ્રભાવ છે. શ્રી તીર્થંકરદેવો ચ્યવે, જન્મે, દીક્ષા લે, કેવળજ્ઞાની થાય અને નિર્વાણ પામે ત્યારે દેવલોકમાં સ્વયમેવ ઘંટા વાગે એનું કારણ ? વગાડ્યા વગર વાગે. ઇંદ્રોનાં સિંહાસન એની મેળે કંપે આનું કારણ ? આ બધું કોનું કામ ? શ્રી તીર્થંકર-નામકર્મનું જ આ બધું કામ છે. એનો જ એ સર્વ પ્રતાપ માત્ર છે ! એ તારકનાં રૂપ, રંગ, કાંતિ, ક્રિયા, બધું જ જુદું, છતાં ભારેકર્મી આત્માને એનાથી પણ લાભ ન થાય. જે તારકની પાસે ઇંદ્રો સેવામાં ઊભા રહે, જ્યાં બેસતાં અપૂર્વ શાંતિ મળે, વિષય-કષાય જ્યાં ઉપશમે, તે તા૨કની હયાતીમાં પણ અસર્વજ્ઞને સર્વજ્ઞ કહેવરાવવાનો લોભ થાય એ શું ? શું એ ઓછી કમનસીબી છે ? પણ જ્યાં ગાઢ મિથ્યાત્વ હોય ત્યાં શું થાય ? બાકી જ્યાં શંકા થતાં જ સ્વયમેવ સમાધાન થાય અને બધાની શંકાનું સમાધાન એકીસાથે થાય એવો તો એ તારકની વાણીનો અતિશય છે, શ્રી તીર્થંકર-નામકર્મની આ બધી સામગ્રી છે, તે છતાંય પણ હીનભાગી પર ઉપકાર ન થાય. મગમાં કોયડું જેવા આત્માઓ ઉપર ઉપકાર ન થાય એમાં આશ્ચર્ય પણ શું ? જે સ્થળે આત્માને અહંભાવ ન આવે તેવી સામગ્રી ન હોવા છતાંય પ્રભુના જ શિષ્ય અને પ્રારંભમાં પૂરેપૂરી શ્રદ્ધાવાળા જમાલીને મિથ્યાત્વના યોગે થયું કે ‘સર્વજ્ઞ હું.' આથી સ્પષ્ટ જ છે કે મિથ્યાત્વનો પ્રભાવ જ કોઈ જબરો છે. એનાથી બચવા માટે સઘળું જ કરી છૂટવા જેવું છે. અને એથી બચવા માટે શ્રી જિનેશ્વરદેવના માર્ગને સમજવામાં જ સઘળી શક્તિ ખર્ચવા જેવી છે. શાસ્ત્રાર્થોની ચર્ચામાં ક્લ્યાણ જ હોય ! આથી જ વખતોવખત કહું છું કે શ્રી જિનેશ્વરદેવને તથા તે તારકના સર્વોત્તમ માર્ગને સારી રીતે સમજો : કારણ કે એને સમજો નહિ ત્યાં સુધી સીધી અને સારી રીતે શાસનસેવા નહિ થાય. શાસનસેવા કરનારે પોતાની બુદ્ધિ આઘી મૂકીને, આગમાનુસા૨ી બુદ્ધિને જ સ્વીકારવી પડશે : એટલે કે પોતાની બુદ્ધિને આગમને અનુકૂળ બનાવવી પડશે, અને સમજવું જ પડશે કે આમની સામે કુતર્કો કરવામાં બુદ્ધિનો ઉપયોગ ન જ થાય. શાસનસેવક બનવું હોય તો પોતાની બુદ્ધિનો જરા પણ ઉપયોગ, આ આગમની સામે કુતર્ક કરવામાં ન જ Jain Education International 890 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy