________________
»
–– ૧૦ : તીર્થંકર નામકર્મનું વેદન : - 60 –
– ૧૫૫
નહોતા. આપવા તો એવા તૈયાર હતા કે ન પૂછો વાત. એ સંબંધમાં એક વાત જણાવેલી છે, છતાં ફરી યાદ કરવા જેવી છે. મિથ્યાત્વનો જબરો પ્રભાવ !
ભગવાન શ્રી વજસ્વામીજી મહારાજા દશ પૂર્વધર હતા. એમની પાસે શ્રી આર્યરક્ષિતના ગુરુએ શ્રી આર્યરક્ષિતને ભણવા મોકલ્યા. પોતે જવા નીકળ્યા. રસ્તામાં ભગવાન શ્રી ભદ્રગુપ્ત કે જેઓ શ્રી વજસ્વામીના પણ ગુરુ હતા તેઓ એમને નિર્ધામણા માટે રોકાવાનું કહે છે. એના ઉત્તરમાં “મારે તો જવાની ઉતાવળ છે' - એમ એમને ન કહ્યું. ગુરુ બીમાર રહેતા હતા. ગુરુએ આશીર્વાદ સાથે એ પણ ભલામણ કરી છે કે શ્રી વજસ્વામી પાસે ભણવું ખરું પણ રહેવું.
૬. ગુરુના સ્વર્ગવાસ બાદ પોતે શ્રી વજસ્વામી છે ત્યાં ગયા છે. બીજે ઊતરીને શ્રી વજસ્વામી પાસે જાય છે. એ જ રાતે શ્રી વજસ્વામીને પણ સ્વપ્ન આવેલ છે કે “મારી પાસે પડેલા ખીરના પાત્રમાંથી થોડું રાખી બાકીનું કોઈ આવીને પી ગયો.' સ્વપ્નનો અર્થ વિચારી આનંદ પામે છે કે આજે જરૂર જ્ઞાનનો ગ્રાહક આવશે, ઘણું લઈ જશે, થોડું બાકી રહેશે. શિષ્યોને પણ સવારમાં કહે છે કે આજે જ્ઞાનનો ગ્રાહક આવશે. વિચારો કે જ્ઞાન આપવા તેઓ તૈયાર હતા કે કૃપણ ?
શ્રી વજસ્વામી પૂછે છે – “ઉપાધિ ક્યાં ?” આરક્ષિત કહે છે – “બીજે.” ભણવું અહીં અને ઉપધિ બીજે કેમ ?” – એમ પૂછે છે. આર્યરક્ષિત કહે છે કે “શ્રી ભદ્રગુપ્ત ગુરુની આજ્ઞાથી એમ કર્યું છે.”
તરત શ્રી વજસ્વામી કહે છે કે “વાજબી કર્યું, કેમ કે ગુરુ કહે તેમાં ફેરફાર ન હોય.'
શ્રી ભદ્રગુપ્ત તે વજસ્વામીના પણ ગુરુ. પરસ્પરની બહુમાન દશા કેવી ? ગુરુએ વજસ્વામી સાથે ઊતરવાની કેમ ના પાડી હતી ? વાત એવી હતી કે જે સોપક્રમ આયુષ્યવાળો શ્રી વજસ્વામીજીની સાથે એક પણ રાત્રિ રહે, તેનું આયુષ્ય વજસ્વામીના આયુષ્ય સાથે જ ખલાસ થાય. કર્મના એવા પણ ઉદયો હોય છે કે એકનો અશુભોદય બધાને મારે અને એકનો શુભ ઉદય બધાને બચાવે.
શ્રી તીર્થંકરદેવોનાં કલ્યાણકો વખતે ક્ષણ વાર નારકીને પણ શાંતિ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org