SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૪ ઘણી પરિચિત વસ્તુ સામે મુકાય અને ક્ષયોપશમ હોય તો જાતિસ્મરણ થાય. આજે પણ થાય. જાતિસ્મરણ થવામાં આજે કાંઈ વાંધો નથી, પણ તે પછી શ્રદ્ધા થવી કઠણ છે. ૧૫૪ એણે પૂર્વભવ જોયા, પોતાની હાલત જોઈ, પણ તે પછી એણે વિચાર્યું કે ‘આ તો આ મુંડિયાએ મારા ઉપર ઇંદ્રજાળ કરી છે, પણ એ જાળમાં ફસાય તે બીજો : હું નહિ.' - એમ કહી ઊલટો મુનિને મારવા દોડ્યો. આવા ઉન્મત્ત આત્માઓને ઉપકાર શી રીતે થાય ? 894 સભા : આ મારવા આવશે એમ એ મુનિએ ન જાણ્યું ? એ ઉપયોગ ન મૂક્યો. આ કેવળજ્ઞાન નથી, અવધિજ્ઞાન છે. એ ઉપયોગ મૂકત તો જાણત. જ્ઞાનીની વાત જ જવા દો, કારણ કે જાણે તોય પરિણામે લાભ દેખે તો જ્ઞાની કરે, કારણ કે જ્ઞાની તો જેમ સમુચિત દેખે તેમ વર્તે. સભા : બુદ્ધિ કર્માનુસારિણી ખરીને ? બુદ્ધિ કર્માનુસારિણી ખરી, પણ ખરી જ એમ નહિ. ઘણા આત્મા માટે એમ ખરું, પણ કેટલાક એવા પણ આત્મા છે કે ઉદય અશુભનો હોય પણ શુભ વિચારમાં લીન રહે. નિમિત્ત મળે એટલે ફરી જાય. આપણે પાંચ કારણને માનનાર છીએ. જુદી જુદી વખતે જુદી જુદી વ્યક્તિને જુા જુદા કારણની મુખ્યતા હોય એમાં વાંધો નહિ. પાંચમાંથી કોઈ વખતે કોઈ મુખ્ય, તો કોઈ વખતે કોઈ મુખ્ય હોય. ‘આ કાળમાં અમુક ઉત્તમ વસ્તુ નહિ તેનું કારણ શું ?’ એનો ઉત્તર એ જ કે, હોય તો પણ પચે નહિ એવી યોગ્યતાવાળા જીવો છે. શ્રી સ્થૂલભદ્રજી જેવા મહાત્માને પણ પૂર્વનું જ્ઞાન પચ્યું ? ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજીમાં ચૌદ પૂર્વનું જ્ઞાન પૂરું હતું છતાંય ઉત્કર્ષ ન આવ્યો અને ભગવાન શ્રી સ્થૂલભદ્રજીમાં દશ પૂર્વ આવ્યાં હતાં ત્યાં, તો અપચો થયો. એથી શ્રી ભદ્રબાહુસ્વામીજીએ કહ્યું કે ખલાસ, હવે નહિ પચે. ભલે પછી સ્થૂલભદ્રજીને શ્રીસંઘના આગ્રહથી બાકીનાં ચાર માત્ર મૂળથી શીખવાડ્યાં, પણ તે પણ બીજાને નહિ આપવાની શરતે જ. જેમ જેમ યોગ્યતા ઘટી તેમ તેમ મહાપુરુષો શ્રુતને પણ સંકેલતા જ ગયા. આની સામે કોઈ પૂછે કે એમ કેમ ? તો કહેવું કે આપણા જ ભલા માટે. એટલે કે આપણી ખરાબ ગતિ ન થાય તે માટે. બાકી એ મહાપુરુષો કાંઈ કૃપણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy