________________
- ૧૦ : તીર્થંકર નામકર્મનું વેદન : - 60 –
– ૧૫૩
કાઢવાથી સારા ઉપર પણ ખોટી અસર થાય. “આમને સમજાવી શકતા નથી માટે કાઢે છે અને જરૂર આ બધું ભોળાને ફસાવવા માટે છે” –એમેય થાય. પાખંડીઓ આવે તો જરૂર કલાકો સુધી સાંભળે, પણ લે કંઈ નહિ. વિરુદ્ધ બોલવાનું મળે એવું લેવા પણ આવે, અને એવું પોતાના મનથી કંઈ માની એના ઉપર કિલ્લા ચણે. ભગવાનના અતિશયોને પણ કોઈ કોઈ ઢોંગ કહે. કોઈ કાળે સત્ય સામે અસત્ય ન હોય એમ હોય જ નહિ. શ્રી તીર્થંકરદેવ જેવા સર્વોત્તમ આત્મા. સર્વ સામગ્રી સમેત, ત્રણ લોકમાં એકસરખી રીતે પૂજિત, આવી સામગ્રી બીજા કોઈને ન હોય, સામાન્ય કેવળીને હોય ખરી-એને પણ દેવો ને ઇંદ્રો પૂજે પણ આટલી સામગ્રી નહિ, એવા આત્માની ઉત્તમ સામગ્રીને પણ ઊંધી રીતે જોનારા, ઓળખાવનારા તે કાળમાં પણ હતા, પણ તે વખતનો મહિમા અને બીજી સામગ્રી એવી હતી કે એ તેટલા દીપ્તિમાન દેખાતા નહોતાથતા નહોતા. એને એમનામાંથી પણ કહેનારા મળતા કે “જપને હવે ! આને ક્યાં પહોંચીશ !' શ્રાવક પણ એવા હતા કે ભરબજારમાં કાન પકડાવતા. મુદ્દો એ છે કે તે વખતની સ્થિતિ જુદી હતી. ગુરુનિશ્રામાં રહેલા ગીતાર્થો પણ કહેતા કે આજ્ઞા વગર એક કદમ પણ ન ભરાય.
શ્રી તીર્થંકર નામકર્મના યોગે સામગ્રીની તૈયારી એની મેળે થાય છે. શ્રી તીર્થકર-નામકર્મના યોગે સઘળી પુણ્ય પ્રકૃતિ ભેગી થાય અને એના યોગે અપૂર્વ સામગ્રીઓનો તે સ્વામી થાય, છતાં તે તે કાર્યવાહીને પાખંડી માને પણ ઇંદ્રજાળ, સદ્હે પણ ઇંદ્રજાળ ને બધાને કહે પણ ઈંદ્રજાળ. આ જ કારણે આજે કેવળી આવે તો લાભ થાય ?' આ પ્રશ્નના ઉત્તરમાં હું કહું છું કે નથી આવતા તેમાં જ એવો પ્રશ્ન કરનારા ઉજ્જૈખલ આચરણખોરોને લાભ છે. આવત તો આજના ઉચ્છંખલ જમાનાવાદીઓ એ તારકની પણ આશાતના કરત. અશુભોદય હોય ત્યારે જ્ઞાનીની સારી વાત પણ ઊંધી પરિણમે. એક સમયે કાયોત્સર્ગમાં રહેલા એક અવધિજ્ઞાની મુનિએ એક દુઃખી આત્માને જોયો તો તે કોઢિયો હતો, તેના શરીરમાંથી પરુ નીતરતું હતું, તેના માથે લાકડાંનો ભારો હતો, ગરમી સખત હતી, ગરમીના યોગે થતા પસીનાથી તે નીતરતો હતો. એવી અવસ્થામાં એને જોઈને કરુણાસાગર મુનિવરે ઉપયોગ મૂકી તેના પૂર્વભવ જોયા. અને જ્ઞાનથી જોયેલા પૂર્વભવોને એ મુનિએ ગાથામાં ગૂંથીને સંભળાવ્યા. પોતાના ભવો સાંભળીને પેલાને જાતિસ્મરણ જ્ઞાન થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org