________________
૧૫૨ –
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
892
નામ સ્પર્ધા નથી. પરિણામે તે પાપાત્માએ છ છ મહિના સુધી અખંડપણે ઉપસર્ગ કર્યા. તે પછી એ પાછો ગયો. શાથી? સદ્ભાવનાથી નહિ, પણ એણે જોયું કે “આ ચલાયમાન થાય એમ નથી અને જેમ જેમ ઉપસર્ગ વધારે કરું છું, તેમ તેમ ઇંદ્રનો ગુસ્સો વધારે વહોરું છું.” આથી પાછો ગયો. આ ન બોલે અને બધું જ સહે એવા છે, પણ પેલો બાપ (ઇદ્ર) છોડે એવો ઓછો જ છે ? આ કારણે નમ્યા વિના છૂટકો ન હતો માટે નમ્યો. નમે તો ઇંદ્ર સુખે રહેવા દે માટે નમ્યો, પણ નમવા માટે નહોતો નમ્યો. આથી “એવા પણ આત્મા હોય છે કે જેને સારામાં સારી ચીજ પણ ખોટાપણે પરિણમે.” -આ વાત સમજાવવી પડે તેમ નથી. દુર્ભાગીને સારું પણ ઊંધું ભાસે !
ખરેખર, શ્રી તીર્થંકરદેવના રૂપરંગ, સાહ્યબી અતિશય, વગેરે બધું જ અનુપમ હોય છે. પ્રભુ વિહાર કરે ત્યારે વૃક્ષો પણ નમે, પવન પણ અનુકૂળ થઈ પ્રદક્ષિણા દે, પક્ષીઓ પણ આકાશથી નીચે ઊતરી પ્રદક્ષિણા દઈ નમી નમીને જાય, કાંટા પણ અધોમુખ થાય, છત્ર-ચામર-સિંહાસન સાથે ને સાથે આકાશમાં ચાલે, જ્યાં બેસવાનું દેખાય કે સિંહાસન આપોઆપ જ ગોઠવાઈ જાય, છત્ર માથા પર ગોઠવાઈ ગયેલું જ હોય, ચામરો તો વીંઝાતાં જ હોય, ધર્મચક્ર આગળ ચાલતું જ હોય, દેવદુંદુભી બજતી જ હોય, પાણી સીંચાતું જ હોય, વનરાજી ખીલેલ હોય, જમીન પર દેવતા પગ પણ ન મૂકવા દે, પગલે પગલે સુવર્ણકમળો ગોઠવાતાં જ જાય, જ્યાં જાય ત્યાં તરત સમોસરણ મંડાય, ચક્રવર્તીને પણ ન હોય તેવું સિંહાસન હોય, અનેક ઇંદ્રો અને ચક્રવર્તી રાજાઓ સેવા કરી રહ્યા હોય, અને અબજોના માલિક ક્ષણમાં ત્યાગ કરી ભિક્ષુક બનતા હોય ! આ બધું પાખંડી નજરે ભાળે તોય કહે કે “કરામતી જબરો !” જો શ્રી તીર્થકરદેવ પણ લોકોની વાર્તા સાંભળવા બેસે તો એમને પણ કેવળજ્ઞાન ન થાય. શ્રી વીતરાગદેવના પણ વૈરીઓ હોય. શાથી? એ તારકનું ન ખમાય એથી!
સભા : એવાને કોઈ બહાર ન કાઢે ?
એ ક્રિયા કરે તો દેશનાનાં દ્વાર જ બંધ થાય. પોતે વીતરાગ તો કહે નહિ. વારુ, એમ કહેવા બેસે કે દેશના દે? ઇંદ્ર પણ અવધિજ્ઞાની છે, ઉપયોગ મૂકે તો એ ઓળખે, પણ ઇંદ્ર એ કામ કરે કે સાંભળે ? કેટલાને કાઢે ? વળી એમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org