SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ – ૧૦ : તીર્થકર નામકર્મનું વેદન :- 60 – ૧૫૧ વ્યવહાર કહે છે કે વ્યવહાર કરવો જ પડે તો સમાન શીલકુળવાળા સાથે જ રાખવો જોઈએ , પણ દુઃશાલિયા, કુશીલિયા સાથે વ્યવહાર ન જ રાખવો જોઈએ. કારણ કે તેવાઓની સાથે વ્યવહાર રાખવામાં મોટી પંચાત છે. એવાની પાસે ઊભા રહેવામાં, એવાને ઘેર બોલાવવામાં અને એવાને ઘેર જવા વગેરેમાં, અર્થાત્ બધી જ રીતે સારા માણસો જ કલંકિત થાય કારણ કે કાળામાં ડાઘ ક્યાં પડે ? ધોળામાં જરા પણ મેલ હોય તો પણ દેખાય.. કાળો કહે કે “મારામાં ડાઘ છે ?” તો ઉત્તરમાં કહેવું જ પડે કે ભાઈ ! ડાઘ તો ધોળામાં હોય, કારણ કે તું તો પૂરેપૂરો કાળો છે જ, એ યાદ રાખવું,' કોઈ કોઈ વાતમાં અપવાદ હોય, પણ એની કિંમત ન હોય. એથી શ્રી તીર્થંકરદેવના બધા અતિશય પાખંડીને ન રુચે,આ પ્રમાણે સામાન્ય રીતે કહી શકાય. જેમ જેમ બહુ જુએ તેમ તેમ એના અંતરનો ઉન્માદ વધે અને માટે જ તે સંસારમાં રખડે : વગર કારણે, વગર પ્રયોજને પણ તે આત્માઓ અખંડપણે પાપ બાંધી સંસારમાં રખડે, કારણ કે પાપી આત્માઓનો સ્વભાવ જ એવો હોય છે. સંગમ માટે ભગવાન શ્રી મહાવીરદેવને પણ એમ જ થયું હતું કે “આખા જગતને તારવાની ભાવનાવાળા એવા અમારા સહવાસમાં આવીને પણ આ આત્મા સંસારમાં રુલ્યો.” ખરેખર, પાપી આત્માઓની દશા જ કોઈ વિલક્ષણ હોય છે. અન્યથા સંગમને એવું શું કારણ હતું, કે જેથી ત્રણ લોકના નાથ ભગવાનને ભયંકર ઉપસર્ગો કરવા આવે ? શુદ્ધ સમ્યગ્દષ્ટિ “શ્રીસુધર્મા' નામના ઇંદ્ર મહારાજા પોતાના અને પરના હિત માટે ત્રણ લોકના નાથ ભવોદધિતારક શ્રી મહાવીર પરમાત્માના અનુપમ ગુણોની પ્રશંસા કરે, એમાં સંગમને શું થયું કે જેથી તે પાપાત્મા નાહક પાપ કરી ગયો ? શ્રી સુધર્મા ઇંદ્ર ભગવાનના ગુણોનું ગાન કર્યું, અસંખ્ય દેવોએ સાંભળ્યું, કંઈકે પોતાનું સમ્યક્ત્વ નિર્મળ કર્યું અને એને જ શું થયું ? કોઈના ગુણ કોઈ ગાય તેમાં બીજાને બળતરા શી ? “અમુકને બધા ગુણવાન કેમ કહે !' એમ કહેનારને કહો કે, અરે ભાઈ ! તું તેવો થા. પણ ઉત્તમ આત્માને ઉત્તમ સ્થાનથી ગબડાવવાની ભાવના કેમ ? સભા : એનું નામ સ્પર્ધા ન કહેવાય ? એનાથીય સારો કાં ન થાઉં એનું નામ સ્પર્ધા છે, પણ એને ગબડાવું એનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy