________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
મળે ત્યાં સુધી જ રહે અને સામગ્રી મળી પછી તો અમલ જ ક૨વાનો રહ્યો, અગર થવાનો રહ્યો ‘અબજ આવે તો આમ કરું' -એ ઇચ્છા અબજ આવે ત્યાં સુધી હોય, પણ અબજ આવ્યા પછી તો ધારેલું હોય તે કરવાનું જ રહ્યું, અગર થવું જ રહ્યું. અબજનો તો દાખલો દઉં છું. વસ્તુ સમજાવવા દૃષ્ટાંતરૂપ છે, પણ ધર્મ કરવા માટે અબજ મેળવવાના ઉપાયો કરવા જોઈએ એવું ન માનતા !
૧૫૦
‘સવિ જીવ કરું શાસન૨સી' - એ ભાવનાના યોગે શ્રી તીર્થંકરદેવને સામગ્રી બધી જ તથાપ્રકારની મળી. કેવળજ્ઞાન, સમોસરણ, અતિશયો - આ બધી સામગ્રી મળી. ઇચ્છા ફળી : હવે ઇચ્છાની જરૂર જ નથી. સમોસરણ વગેરે માગ્યું નહોતું પણ એ બધી જ સામગ્રી આવીને મળી, અર્થાત્ દેવતાઓ વગર બોલાવ્યે પણ ભક્તિભર હૃદયથી આવીને બધું જ તૈયાર કરે અને કેવળજ્ઞાન થયા પછી તો બધી સ્થિતિ જ ફરી જાય છે. અરે, એ દેખાવ જ એવો હોય છે કે જે દેખે તે ઝૂકે, પણ સિવાય પાખંડી હોં ! કારણ કે પાખંડીને જેટલા ગુણ એટલા દુર્ગુણ ભાસે. સારામાં સારી ચીજ પણ સારા તરીકે એને ન પરિણમે. ગુણને ગુણ તરીકે એ જુએ જ નહિ. એને ગુણ ગુણ તરીકે દેખાય જ નહિ. એટલું જ નહિ પણ ગુણ એને દોષ તરીકે જ દેખાય. હિતકર વસ્તુ પણ હિતકર તરીકે તેના હૃદયમાં ઊતરે જ નહિ, કારણ કે મિથ્યાત્વના ઉદયે બધું જ ઊંધું ભાસે. જમાલી જેવા પણ મિથ્યાત્વના ઉદયે ‘ભગવાન ભૂલ્યા’ - આ પ્રમાણે બોલ્યા અને એમ જમાલીએ કહ્યું તો એની પાછળ બીજા પણ તેવા અજ્ઞાનીઓ એમ બોલતાં શીખ્યા. મૂર્ખાઓમાં એક મોટા અને સારા પુરુષને ખરાબ કહેવરાવવામાં વાર કેટલી ? બજારના સારા આબરૂદારને પણ મૂર્ખાઓમાં બદનામ કરતાં વાર કેટલી ? ચાર નાગા ઊભા કરો એટલી. અને એથી કહેવત પણ છે કે પાદશાહ પણ આઘા. કોનાથી ?
890
સભા : નાગાથી.
કેમ કે પાદશાહે બધું પહેરેલું છે પણ ત્યાં શું છે ? એથી એ પલાળે પણ શું ને નિચોવે પણ શું ? એને કોઈ નાલાયક કહે તોયે વાંધો શો ? કારણ કે હતું શું ?
કોઈ શ્રીમાન આબરૂદાર ફરિયાદી માંડીને પાંચ લાખનું એના ઉપર હુકમનામું પણ કરાવે, છતાંય બજાવે ક્યાં ? કારણ કે જેને ગામમાં ઘર નહિ અને સીમમાં ખેતર નહિ, તેના ઉપર શી રીતે દાવો થાય ? અને કદાચ કોઈ ભૂલથી કરે તો દુનિયા પણ હસે કે ‘આના ઉપર દાવો ‘ આથી એવાઓની સાથે વાત કરવી કે બાંધ-છોડ કરવી, એ બધું જ ભયંકર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org