________________
889 – – ૧૦ : તીર્થકર નામકર્મનું વેદન: - 60 – – ૧૪૯ કે સર્વજ્ઞદેવ ઇચ્છા કરે તેમ હોય તો આ કાર્ય ઇચ્છાવિરુદ્ધ હતું ? નહિ જ, કારણ કે “સવિ જીવ કરું શાસનરસી' -આ ભાવના તો તે તારકે પોતે એવી જ પોષી હતી, અર્થાતુ-પોતે જે ભાવના પોષી હતી તેનો જ એ અમલ છે. જો કે હવે તો ઇચ્છા જ નથી, બધું સ્વાભાવિક જ થાય છે, પણ માનો કે ઇચ્છા થાય તોય આ પ્રવૃત્તિ જે ભાવના પોષી હતી તેને અનુકૂળ છે કે પ્રતિકૂળ ? ઇચ્છાનુસારી પ્રવૃત્તિ કરે તે સ્વતંત્ર છે, પરતંત્ર નથી : અને જે ક્રિયાઓ શુભ પરિણામ ન લાવે તે ક્રિયાઓમાં ઇચ્છા પણ થાય, તો પણ તે પરતંત્રતા છે, આ વાત સહજમાં સમજી શકાય તેમ છે, બાકી કર્મબંધનની પરતંત્રતા માન્ય છે, કેમ કે સંપૂર્ણ કર્મક્ષયજન્ય જે સંપૂર્ણ સ્વતંત્રતા તે તો મુક્તિમાં જ છે ! સભા: ‘સવિ જીવ કરું શાસનરસી' - આ ભાવના ભાવવા લાયક કોણ ?
લાયક બધા. બધાથી ભાવી શકાય. જેનામાં તે ભાવના પરિપૂર્ણ આવે તે જ શ્રી તીર્થકર થાય. નાગાથી પાદશાહ પણ આઘા!
જેમ કમનસીબ આત્માઓને રોગ આદિ વગર ઇચ્છાએ આવે છે, તેમ શ્રી તીર્થંકરદેવોને ભોગની ઇચ્છા નથી છતાંય ભોગો સામે ધસી આવે છે. આવી સ્થિતિમાં પણ જ્યાં સુધી કેવળજ્ઞાન થાય ત્યાં સુધી તો તે તારકોને “સવિ જીવ કરું શાસનરસી'-એ ભાવના જોરશોરથી હોય છે ને કેવળજ્ઞાન થયા પછી તે ભાવનાનું ફળ રહે છે. કેવળજ્ઞાન થયા પછી ભાવના તો તૃપ્ત થઈ ગઈ, કારણ કે એ ભાવનાને અંગે જે સામગ્રી જોઈતી હતી તે બધી જ મળી ગઈ, એટલે હવે ઇચ્છા શમી ગઈ પછી તો બધું જ સ્વયમેવ થઈ શકે છે. વગર ગોખે ન આવડે ત્યાં સુધી ગોખવાનું, પણ ક્ષયોપશમ થાય અને વગર ગોખે આવડે તો ગોખવાની જરૂર પડે ? નહિ જ, કારણ કે આત્મા ઉપરનાં આવરણો ખસે તો ગુણો આપોઆપ જ પ્રગટ થાય.
બાર વરસ સુધી “મા રુષ" અને “તુષ” જે મહાત્માને આવરણના યોગે ન આવડ્યું, તે જ મહાત્માને આવરણક્ષયે તે પણ આવડ્યું અને કેવળજ્ઞાન પણ થયું કારણ કે “મારુષ” અને “મા તુષ” આવડવા માટે એવી ક્રિયા કરી કે એનું પણ આવરણ ગયું અને બીજાં બધાં પણ આવરણ પરિણામે નાશ પામ્યાં. આથી સિદ્ધ જ છે કે ઇચ્છાની જરૂર જ્યાં સુધી સામગ્રી નહોતી ત્યાં સુધી હતી. “ક્યારે એવી સામગ્રી મળે કે જેથી “સર્વને શાસનરસી બનાવું' –એ ઇચ્છા સામગ્રી ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org