________________
907
– ૧૦ : તીર્થંકર નામકર્મનું વેદન : - 60
– ૧૪૭
બધું જ સ્વેચ્છાથી પણ પરતંત્ર દશાથી નહિ ! અને એ જ કારણે તે મહાપુરુષો પરતંત્ર ન કહેવાય. આપત્તિને પણ હસતાં હસતાં ભોગવવી, એનું નામ સ્વતંત્રતા છે અને રોતાં રોતાં ભોગવવી એનું નામ પરતંત્રતા છે. તાવથી સૂવું પડે એનું જ નામ પરતંત્રતા નથી, પણ મૂંઝાવું એનું નામ પરતંત્રતા છે. કોઈ પૂછે કે કેમ સૂતા ?' તો એમ કહેવાય કે “શરીરનો સ્વભાવ.' પણ “કેમ છે ?' આ પ્રશ્નના ઉત્તરમાં તો હૃદયપૂર્વક એમ જ કહેવાવું જોઈએ કે “મજા છે, કારણ કે સારું થયું કે જેથી આવા સમયે આ લેણદાર આવી પહોંચ્યો, કે જેથી હું એને સારામાં સારી રીતે દૂર કરી શકીશ.” જેમ જાતે દસ્ત લે અને પચીસ વાર જવું પડે તોયે મૂંઝવણ ન થાય અને વગર દસ્ત લીધે પાંચ વાર જવું પડે તોયે મૂંઝવણ થાય ! કેમ કે ત્યાં તો કાર્યવાહી જ જવાની કરી છે, એટલે જાય તો જ સુખ થાય એમ માની દસ્ત લીધેલો છે. તેવી જ રીતે અશુભના ઉદય સમયે એમ જ થવું જોઈએ કે “ઉદયથી કર્મ જાય છે ત્યાં ગભરામણ શી ?'
અનંતજ્ઞાનીઓ કહે છે કે સમ્યગ્દષ્ટિ આત્મા શુભ કે અશુભ ઉદયના ભોગવટા વખતે સ્વતંત્ર રહી શકે છે : કારણ કે તે આત્મા તે તે ઉદયને ભોગવે છે ખરો, પણ તે તેનો એ ભોગવટો એવો કે તેમાંથી પણ તે આત્મા લાભ જ લે. એનું કારણ એ છે કે તે વસ્તુને વસ્તુ તરીકે ઓળખીને, લેપાયા વિના ઉપભોગ કરે છે.
પરમ તારક શ્રી તીર્થંકરદેવો અને બીજા પણ તેમના જેવાઓ ભોગાવલી કર્મોને ભોગવે ખરા, પણ તે તારકો એવી રીતે ભોગવે કે એ ભોગમાંથી નવા ભોગોને ઊભા ન કરે. બીજા સામાન્ય આત્માઓને તો ભોગવટો થોડો અને નવું ઊભું થાય ઘણું, માટે જ તેઓ પરાધીન ગણાય, બાક મહાપુરુષો તો પરાધીન નથી જ હોતા : કારણ કે શુભ તેમ જ અશુભ બેય ઉદયના ભોગવટામાં મહાપુરુષોનો આત્મા તો ઊંચો જ ચડતો જાય છે.
શ્રી તીર્થંકરદેવો પણ ગૃહસ્થપણામાં શુભ કર્મના ઉદયે આવી પડેલા ભોગોને તો ભોગવે, પણ તે ભોગને આધીન બન્યા વિના જ ભોગવે. ખોટા માનીને, ખોટા કહીને અને ખોટા છે એમ જાહેર કરીને જ ભોગવે. તે પ્રકારનાં કર્મ લાગ્યાં છે તે ભોગવવાથી જ જાય તેથી ભોગવે, પણ આધીન બનીને નહિ જ. ભોગો સારા અને સેવવા જેવા' - એવી ત્યાં વાસના પણ નથી : એવું વચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org