________________
૧૪૭૩
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો
કરણી કરવી, એનું જ નામ પરાધીનતા કહેવાય છે. બાકી આનંદપૂર્વક કર્મજન્ય તકલીફને ભોગવવી તે તો ચાલી ગયેલી સ્વાધીનતાને પ્રાપ્ત કરવાનો અનુપમ ઉપાય છે. આ વસ્તુસ્વરૂપના જ્ઞાતા મુનિ ઉપર, અશુભના ઉદયનાં આક્રમણો આવે ત્યારે તે મુનિ શું ચિંતવે ? એ સમજવા માટે એક કુરૂદત્તસુતર્ષિ મહામુનિની ભાવના ખાસ વિચારવા જેવી છે. ભયંકર અશુભોદયનો ભોગવટો કરતા આ મહામુનિએ, પોતાના આત્માને હિતશિક્ષા આપતાં જે કહ્યું છે, તેનો ઉલ્લેખ કરતાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની વૃત્તિમાં શ્રી ભાવિજયજી મહારાજ લખે છે કે,
·
૪
" सह कलेवरदुःखमचिन्तयन् स्ववशता हि पुनस्तव दुर्लभा ।
बहुतरं च सहिष्यसि जीव है, परवशो न च तत्र गुणोऽस्ति ते । । १ । । "
“હે જીવ ! કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર જ તું આ શરીરના દુઃખને સહન કર, કારણ કે ફરી ફરીને આવા પ્રકારની સ્વાધીનતા તને મળવી એ દુર્લભ છે; અન્યથા દુર્ગતિ આદિમાં પરવશ પડેલો તું ઘણું ઘણું સહન કરશે તે છતાંય, ત્યાં તને કશા જ ગુણની પ્રાપ્તિ નહિ થાય.”
Jain Education International
આથી સ્પષ્ટ કે મહામુનિઓ અશુભ કર્મના ઉદયે આવી પડતી વ્યાધિ આદિને મહોત્સવરૂપ જ માનતા. કર્મખજાનો ખાલી થાય, ઉદયમાં આવેલાં જાય, દેવું પતે, બંધન છૂટે, એને મહોત્સવ કોણ ન માને ? પારકે પૈસે શ્રીમંત દેખાવું એ શાહુકારી કે જાત ઉપર જીવવું એ શાહુકારી ?
સભા : સાધુ દવા કરે કે નહિ ?
સાધુ વ્યાધિથી મૂંઝાય તો નહિ જ અને આર્તધ્યાન ન જ થતું હોય તો જરૂર દવા પણ ન કરે.
886
મહાપુરુષો ભોગી છતાં પરતંત્ર નહિ !
એ તો સ્પષ્ટ જ છે કે કર્મયોગે આત્મા બંધાય છે. એમાંથી છૂટવાના સમયે મૂંઝવણ તો ખરેખર મૂર્ખાને જ થાય. એવા સમયે મૂંઝવણ થાય તેનું જ નામ પરતંત્રતા છે. બાકી કર્મજન્ય પ્રવૃત્તિ માત્રથી જ પરતંત્રતા ન જ મનાય. અને તેમ છતાંય સામાન્ય રીતે કર્મજન્ય પરતંત્રતા માનવાને હરકત નથી, કેમ કે આત્માની સંપૂર્ણ સ્વતંત્રતા તો સિદ્ધાવસ્થામાં જ છે : બાકી તો સંયોગાધીન થઈ પોતાનું ગુમાવે તે જપરતંત્ર છે. એથી જ શ્રી તીર્થંકરદેવ આદિ પણ ઘણાયે સંયોગોને આધીન થયા, અનેક ઉપસર્ગો અને અનેક પરીષહો સહ્યા, પણ તે
For Private & Personal Use Only
www.jainelibrary.org