________________
૧૦ : તીર્થંકર નામકર્મનું વેદન : 60
૧૪૫
સન્માર્ગે આવે જ નહિ અને એ જ કારણે જે જીવો સાચા સુખી થવાને લાયક જ નથી, અર્થાત્ કલ્યાણને માટે જે આત્માઓ પાત્ર જ નથી, તેઓ માટે શ્રી તીર્થંકરદેવની દેશના પણ નિષ્ફળ થાય, એમાં કશું આશ્ચર્ય પામવા જેવું નથી. પ્રભુ તો સર્વ પ્રાણીના હિતને માટે દેશના દે, પણ હિત થવું કે નહિ તે, તે તે આત્માઓની યોગ્યતા ઉપર જ આધાર રાખે છે
885
સભા : ‘તીર્થંકર-નામકર્મ'ને આધીન થઈ દેશના દે તો શ્રી તીર્થંકરદેવ સ્વતંત્ર કહેવાય કે પરતંત્ર ?
તે કર્મ ન ખપે ત્યાં સુધી મોક્ષમાં ન જઈ શકે તેટલી તો પરતંત્રતા ખરી જ, કારણ કે સંપૂર્ણ સ્વતંત્રતા તો સિદ્ધાવસ્થામાં જ છે. બાકી જેમ પ્રાપ્તસામગ્રીના ભોગવટાની ભાવના તે પરાધીનતા છે, પણ તેના સદુપયોગની ઇચ્છા તે તો વસ્તુતઃ સ્વાધીનતા જ છે તેવી જ રીતે અહીં પણ સમજી શકાય તેમ છે.
સભા : પણ પ્રભુની ભાવના તો કશી છે જ નહિને !
ભાવના નથી, પણ કેળવેલી અને ખૂબ મજબૂત બનાવેલી ભાવનાના યોગે થતી પ્રવૃત્તિ તો ઇષ્ટ છે જ અને એ રીતે સ્વયમેવ પ્રવૃત્તિ થયે જાય, તે કાંઈ પરાધીનતા નથી. ન કરવા જેવું થતું હોય ત્યાં જ પરાધીનતા છે. અહીં તો જે થાય છે તે તો ઇષ્ટ જ છે. કારણ કે પોષેલી ભાવનાને અનુરૂપ છે. એટલે વર્તમાનમાં ઇચ્છાનો અભાવ છતાં પણ જે ક્રિયા થાય છે તે ઇષ્ટ જ છે. કર્મના ભોગવટામાં આત્મા સ્વતંત્ર પણ હોઈ શકે : શુભના કે અશુભના ઉદયનો ભોગવટો કરવો તેનું જ નામ પરાધીનતા નથી, પણ હસીને કે રોઈને ભોગવવું તેનું નામ પરાધીનતા છે : જ્યારે સમભાવપૂર્વક કર્મના વિપાકને સમજીને તે ઉદયને ભોગવી લેવો, તે તો સ્વાધીનતા જ છે ઃ કારણ કે સંપૂર્ણ સ્વાધીનતા મેળવવાનો તે રાજમાર્ગ છે.
અશુભના ઉદયે શરીરાદિકની વિષમતા થાય એનું નામ પરાધીનતા નથી, પણ તે ઉદયમાં તન્મય બનવું, દુ:ખી થવું, આર્તધ્યાન વગેરે કરવું, એનું નામ પરાધીનતા : કારણ કે અશુભના ઉદય વખતે નિર્જરારૂપ ઇચ્છિત કામ સધાય તો પરાધીનતા શાની ? અનેક મહાપુરુષોએ અશુભોદયના યોગે અનેક ઉપસર્ગો અને પરીષહો સહ્યા, પણ સ્વાધીનપણે સહ્યા અને એથી જ ધાર્યું કામ સાધ્યું. એ જ કારણે કર્મજન્ય તકલીફને સમાધિપૂર્વક સહેવી એનું નામ પરાધીનતા ન જ ગણાય, કારણ કે કર્મજન્ય તકલીફને સહેતાં નવી તકલીફ ઊભી થાય એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org