________________
૧૦: તીર્થકર નામકર્મનું વેદનઃ
કર્મોદય વેદવો એ શું પરાધીનતા છે?
સૂત્રકારમહર્ષિ શ્રી સુધર્માસ્વામીજીએ આ શ્રી “આચરાગ' સૂત્રના છઠ્ઠા ધૂત' નામના અધ્યયનના પહેલા “સ્વજનધૂનન' નામના ઉદ્દેશાની શરૂઆતમાં જ ફરમાવ્યું કે “સ્વર્ગ, અપવર્ગ અને તેનાં કારણો તથા સંસાર અને તેનાં કારણોને અનાવરક કેવળજ્ઞાનના યોગે જાણતા એવા શ્રી તીર્થકરદેવ આ મનુષ્યલોકમાં મનુષ્યોને ઉદ્દેશીને ધર્મનું નિરૂપણ કરે છે.' ઘાતકર્મના ક્ષય થકી આવરણ વિનાનું જ્ઞાન કેવળજ્ઞાન જેમને પ્રગટ થયું છે, તેવા શ્રી તીર્થંકરદેવ મનુષ્યભાવને પામેલા અને કૃતાર્થ બનેલા હોવા છતાં પણ, પ્રાણીગણના હિતની ખાતર દેવતા, મનુષ્ય આદિની પર્ષદામાં ધર્મને કહે છે. તમામની પર્ષદા છતાં મનુષ્યોને ઉદ્દેશીને કહ્યું, તેનાં કારણમાં મુખ્યતા મનુષ્યની છે, એમ આપણે જોઈ ગયા છીએ : કારણ કે પ્રભુની દેશનાના ઊંચામાં ઊંચા ધ્યેયને તેઓ જ પામી શકે છે. “કૃતાર્થ થયા પછી ધર્મદેશના દેવાનું કારણ શું ?' - આ પ્રશ્નના સમાધાનમાં પણ આપણે જોઈ ગયા છીએ કે શ્રી તીર્થંકર-નામકર્મને વેદવા માટે શ્રી તીર્થંકરદેવો દેશના દે છે, કારણ કે તે વિના “શ્રી તીર્થંકર નામકર્મ' વેદાતું જ નથી. કારણ કે શ્રી તીર્થંકર-નામકર્મનો ગુણ જ એ છે કે એ શ્રી તીર્થંકરદેવો પાસે જગતના હિતની પ્રવૃત્તિ કરાવ્યા વિના રહે જ નહિ, કારણ કે શ્રી તીર્થંકરદેવોના આત્માએ “સવિ જીવ કરું શાસનરસી' - એ ભાવનાને ખૂબ ખૂબ પોપેલી છે. સર્વ પ્રાણીના હિતની ભાવના એવી પોષેલી છે કે જે ભાવનાના યોગે “શ્રી તીર્થંકર-નામકર્મ' નિકાચિત થયું અને એ કર્મ પોતાના ઉદયમાં સર્વ પ્રાણીના હિતની પ્રવૃત્તિ કરાવ્યે જ જાય. તે છતાંય જે યોગ્ય હોય તેનું જ હિત થાય, કારણ કે જે જીવદળ વાસ્તવિક હિતને માટે યોગ્ય જ ન હોય, લાયક જ ન હોય, તેવા માટે શ્રી તીર્થંકરદેવ પણ શું કરે ? કાષ્ઠની ગાંઠો ઉપર કુહાડો મારવામાં આવે તો વખતે કુહાડો પણ ખંડિત થઈ જાય. એથી હોશિયાર કાષ્ઠ ચીરનાર ગાંઠોને તો આવી જ કરે, પણ કુહાડાથી એને ચીરવાનો પ્રાયઃ પ્રયત્ન કરે જ નહિ. આ ઉપરથી કુહાડ કે કારીગર ખામીવાળા નથી, તેવી જ રીતે જે જીવો એવા છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org