________________
૧૦: તીર્થકર નામકર્મનું વેદનઃ
60
કર્મોદય વેદવો એ શું પરાધીનતા છે ? • મહાપુરુષો ભોગી છતાં પરતંત્ર નહિ ! • નાગાથી પાદશાહ પણ આઘા! • દુર્ભાગીને સારું પણ ઊંધું ભાસે !
• મિથ્યાત્વનો જબરો પ્રભાવ ! • શાસ્ત્રાર્થોની ચર્ચામાં કલ્યાણ જ હોય ! • શાસનસેવા ક્યારે થઈ શકે ? • પડવાના ભયે માર્ગ બંધ ન કરાય : • પ્રતાપ રાણો ને ધર્મટેક !
વિષય: તીર્થંકરની પ્રવૃતિ ઈચ્છાથી કે સહજથી ?
પૂર્વનાં કેટલાક પ્રવચનોથી દેશનાનો ઉદ્દેશ અને અધિકારી વગેરે બાબતો સમજાવ્યા બાદ આ પ્રવચનમાં તીર્થકરો દ્વારા અપાતી ધર્મદેશના ઇચ્છાથી અપાય કે સહજ રીતે અપાય એ પ્રશ્નનો શાસ્ત્રાધારે છણાવટ કરી જવાબ આપ્યો છે. એ સાથે પરાધીનતા અને સ્વાધીનતા કોને કહેવાય એ સમજાવતાં શુભમાં હસીને ભોગવવું અને અશુભમાં રોઈને ભોગવવું એ પરાધીનતા છે. આ મજાની વ્યાખ્યા સ્પષ્ટ કરી છે. “સવિ જીવ કરું શાસનરસીની ઇચ્છા તીર્થકરે ખૂબ કરેલી પણ વીતરાગ સર્વજ્ઞ બન્યા કે ઇચ્છા ગઈ પરંતુ પૂર્વાભ્યાસથી ભાવિત આત્મા વડે સહજપણે પરોપકારની પ્રવૃત્તિ થયા કરે. પ્રવચનમાં પ્રસંગોપાત્ત શ્રી ભદ્રબાહુસ્વામીજી તેમ શ્રી સ્થૂલભદ્રસ્વામીજી તેમજશ્રી ભદ્રગુપ્તસૂરિ, શ્રી વજસ્વામીજી અને શ્રી આર્યરક્ષિત સૂરિજીની વાત રજૂ કરી છે. મુક્તિ જોઈતી હોય તો આગમે સમજાવેલ વસ્તુ હૃદય પર કોતરાઈ જવી જોઈએ. આ પ્રવચનનો આ જ સાર છે.
મુવાક્યાતૃત • પ્રાપ્ત સામગ્રીના ભોગવટાની ભાવના તે પરાધીનતા છે, પણ તેના સદુપયોગની ઇચ્છા તે તો
વસ્તુતઃ સ્વાધીનતા જ છે. • ન કરવા જેવું થતું હોય ત્યાં જ પરાધીનતા છે. ૦ આત્મા ઉપરનાં આવરણો ખસે તો ગુણો આપોઆપ જ પ્રગટ થાય. • જો શ્રી તીર્થંકરદેવ પણ લોકોની વાર્તા સાંભળવા બેસે તો એમને પણ કેવળજ્ઞાન ન થાય. મિથ્યાત્વનો પ્રભાવ જ કોઈ જબરી છે. એનાથી બચવા માટે સઘળું જ કરી છૂટવા જેવું છે. અને
એથી બચવા માટે શ્રી જિનેશ્વરદેવના માર્ગને સમજવામાં જ સઘળી શક્તિ ખર્ચવા જેવી છે. • જે જિનાજ્ઞા કબૂલ કરે તે જ જિનના પૂજનનો અધિકારી. ૦ જેટલી બુદ્ધિ વ્યવહારમાં ખરચો છો, તેટલી બુદ્ધિ અહીં ખરચો તો જરૂર શાસનનો પરમપ્રભાવ ફેલાવી શકો. તનધારી તનની સેવા, બુદ્ધિધારી બુદ્ધિની સેવા, અને લક્ષ્મીવાળા લક્ષ્મીની સેવા આપે, તો
શાસનસેવા સુંદરમાં સુંદર થાય. • દેવગુરુનો કદી જ “ક્ષય' નથી, પણ સદાય જય જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org