________________
૧૪૨
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
૨
પંદર ભવે મુક્તિ નિયત થઈ ગઈ. નિહ્નવપણું હતું, પણ જે આરાધ્યું તે એવું કે પાછું એને ઝટ મળવાનું.
સભા: ઉસૂત્રભાષીને માત્ર પંદર જ ભવ?
ઉસૂત્રભાષીને અનંત સંસાર જ હોય એવો એકાંત કાયદો નથી. સંખ્યાતા ભવ પણ હોય, અસંખ્યાતા ભવ પણ હોય અને અનંતા ભવ પણ હોય. આથી પાપી આત્માઓને પણ તારવાની આજ્ઞા શ્રી તીર્થંકરદેવોની છે અને એ તારક આત્માઓ પણ ઘાતકર્મક્ષય થયા બાદ, આવરણ વિનાના જ જ્ઞાનથી-કેવળજ્ઞાનથી, મનુષ્યભવમાં હોવા છતાં, કૃતાર્થ હોવા છતાં જેમને કાર્યવાહી એક પણ બાકી રહી નથી એવા પણ શ્રી તીર્થંકરદેવો, મનુષ્યોને ઉદ્દેશીને ધર્મનું કથન કરે છે. અસ્તુ. હવે આપણે એ જોવું છે કે સ્વતંત્રપણે ધર્મનું કથન એકલા શ્રી જિનેશ્ર્વરદેવ જ કરે કે અન્ય પણ કોઈ કરે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org