________________
981
- ૯ : પ્રભુની દેશના અને તેના અધિકારી - 59
-
૧૪૧
આવ્યો ત્યારે એ સામે ગયા, હવે કોઈ એમ કહે કે ચેડા રાજા પોતે લડવા ગયા હતા એ ચાલે ? બે આદમીને સાચવવાની હઠ શી, આમ કહેવાય ? કદાચ વાણિયો વિચારે. વણિકમાં એ ગુણ (!) ખરો, પણ ક્ષત્રિયમાં હોય ? ભયંકર દુશ્મન પણ મોંમાં તરણું લે કે ક્ષત્રિય એના પર હાથ ન ઉઠાવે. આ દયાભાવ
ત્યાં હતો. દયાભાવ સાથે અજ્ઞાન ન જોઈએ. ચેડા મહારાજાનું સાહસ ખોટું નહોતું. એમણે તો એમના સમ્યક્તને છાજતું કામ કર્યું. હલ્લ અને વિહલ એ બે તો શરણે આવ્યા હતા. એ તો કહેતા કે “જિવાડવા હોય તો જિવાડો, મારવા હોય તો મારો.” ચેડા રાજાથી શરણાગતને બીજાને સોંપાય નહિ જ.
તમને કહું કે શેઠ બનો. સર્વમાં શ્રેષ્ઠ તે શ્રેષ્ઠી (શેઠ). બધી સ્થિતિ જોઈ પારકાને સાચવવા આખી શ્રીમંતાઈ જવા દે તે શ્રેષ્ઠ. શ્રીમંતાઈ સાચવવા બીજું બધું જતું કરે તે શેઠ કહેવાય ? તો હવે વિચારો કે ધર્મરક્ષા માટે શું શું મૂકવું પડે ? ધર્મ જાય ને બીજું બધું રહે તો જીવાય ? નાક ન હોય તો નાક નથી એટલું જ, પણ ધર્મ જાય તો ? સજ્જનના સગુણને દુર્જન દુર્ગુણ તરીકે ન જુએ તો ફાવે ? સજ્જન બ્રહ્મચારી હોય તો દુર્જન એને વીર્યહીન કહે, બોલે નહિ તો બાયલો કહે, દાતાર હોય તો ઉડાઉ કહે, અને સામે ન થાય તો સત્ત્વહીન કહે. દુર્જન કહે કે “સાચું હોય તો કેમ કહેતા નથી ?' એને કહેવું જોઈએ કે સાચું પણ ગાંડા આગળ ન કહેવાય. સમજે તેને કહેવાયને ! વગર નશે નશાવાળા બને તેને કહેવાય ? તેને કહેવાથી હાલત શી ? પાપને સારું માનવું એ ભયંકર નશો છે. તેથી તો મૂર્ખની પદવી આપવી પડે છે. આથી જ એક કવિને પણ કહેવું પડ્યું કે -
મૂરખને જ્ઞાન કદી નવ થાય, દેતાં પોતાનું પણ જાય.” મૂરખની આ ઓળખાણ છે. ધર્મીની ધર્મક્રિયાને વખોડવી, એ દુર્જનનું લક્ષણ છે. ધર્મી પૂજા કરે, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ કરે, તો દુર્જન કહે કે નાદાન છે, મૂર્ખ છે, પણ એ આટલું પણ કરે છે એનો એને ખ્યાલ નથી. એની ક્રિયામાં ભૂલ પણ હોય તો ભૂલને આગળ ધરવી કે વસ્તુને આગળ ધરવી ? શાસ્ત્ર જમાલિના નિર્નવપણાની નિંદા કરી પણ ભગવાને શું કામ આવાને દીક્ષા આપી એમ ન કહ્યું. જ્યાં ત્યાં એમ કહ્યું કે મહામુનિ, મહાસંયમી, એણે ઘણું કર્યું, પણ આખરે પડ્યો અને ભગવાને પણ કહ્યું કે પામી ગયો અને તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org