________________
૧૪૦
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
-
0
પોતાના ધાંધલનો આરોપ બીજા ઉપર મૂકે. આવી બુદ્ધિ વિના આવી અને આટલી હદે નાદાનિયત ન હોઈ શકે.
સજ્જનોની ઊંચી, ઊંચામાં ઊંચી ક્રિયાને પણ દુર્જનોએ કંઈ ને કંઈ કલંકોથી દૂષિત કરી જ છે. દાતાર દાન દે તો દુર્જન કહે કે “એને આગળ આવવું છે માટે દે છે. આવી રીતે એ પોતાની કૃપણતાને ઢાંકે. આ દુર્ગણ ન હોય તો એ પણ જ ન રહે ! એને ત્યાં કોઈ માગનાર આવે તો હસીને સાંભળે, પણ ગુસ્સે તો થાય જ નહિ. સમજે કે ગુસ્સો આવશે તો લપ કાઢવા કંઈક દેવાનું મન થઈ જશે. હસીને કહે કે “મારે નથી આપવું.” પેલો દાખલો આપે કે ફલાણા શેઠે આપ્યું.' તરત આ કહે કે “એને તો સારી રીતે ઓળખું છું, એને આગળ આવવું છે, એ તો આપે, આપણે આગળ નથી આવવું. માટે આપણે તો નથી આપવાનાં”. ઠંડે કલેજે આ જવાબ આપી દે. દુર્જનોને આ ગુણો કોણે શીખવ્યા ? શીખીને જ આવેલા. સજ્જનના ગુણો શીખવા પડે, પણ દુર્જનના ગુણો ખાસ શીખવા ન પડે. એનો તો અભ્યાસ ચાલુ છે જ.
બાળક રુવે, એની આંખમાં આંસુ નહિ, હૈયે દુઃખ પણ નહિ, પણ સ્તનપાન કરવું હોય કે રડે, અને એવું ટેવાઈ જાય કે પા કલાક આગળથી ઉઉઉ કરે : જાણે કે એ વિના મા આવવાની નથી. મા લે એટલે બધું ચૂપ - ન આંસુ, ન લેવા, ન દેવા. કોણે શીખવ્યું ? શીખેલું જ છે-અને એનો અભ્યાસ છે. અયોગ્ય કરણી કંઈ લેવા જવી પડે છે ? એ તો આત્માની સાથે એકતાર બનાવેલી જ છે.
સજ્જનની શાંતિ, ક્ષમા, અને એના સર્વ સદ્ગણો દુર્જનને ઊંધા જ ભાસે અને ઊંધા જોવામાં જ એ ખીલે. શાસ્ત્રકાર કહે છે કે એવાઓની તો ઉપેક્ષા જ કરવી, કારણ કે એમની ખિલવટમાં જ એમનો નાશ છે. ખીલે નહિ તો ઓળખાય નહિ. આક્રમણબળ મિથ્યાષ્ટિનું છે. સમ્યગ્દષ્ટિને એ બળ પાલવે નહિ. સમ્યગ્દષ્ટિનું બળ તો સજ્જનતાનું, નીતિના અમલનું, ધર્મનું રક્ષણ કરે.
હલ્લ, વિહલ્લ ચેડા મહારાજાને ત્યાં શરણે ગયા. એમના ભાણેજ હતા. ચેડા રાજાએ શરણાગતને આશ્રય આપ્યો. કોણિક રાજાએ પાછા સોંપવાનું કહેવરાવ્યું ત્યારે ચેડા રાજાએ કહેવરાવ્યું કે “તું પણ ભાણેજ છો, એ પણ ભાણેજ છે, તારા ભાઈ છે, મારા શરણે આવ્યા છે. મેં એમને આશ્રય આપ્યો છે-એમનું રક્ષણ કરવાની મારી ફરજ છે. તું જો સામે આવીશ તો મારે સામું આવવું પડશે.” ચેડા રાજાને યુદ્ધની ભાવના નહોતી. કોણિક રાજા લડવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org