________________
૧૩૮
--- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
સમકિત શું એનું પણ એને ભાન ન હતું. એ તો વંઠ હતો. આજે આ વાત કહીએ એટલે કહે છે કે એ તો પોતાના મતની પુષ્ટિ માટે કહે છે, પણ આ મારો મત નથી પરંતુ તમારા તારકનો મત છે. મારા અને તમારા બેયના તારકનો મત છે, એટલે કે ખુદ શ્રી તીર્થંકરદેવનો આ મત છે. હવે એમાં ના પાડ્યું કાંઈ વળે ? એણે નિષેધેલ હોય તો તે સ્થાપવાની અમને શી સત્તા છે? એ ના કહે તો આગ્રહ ન હોય, પણ પોતે જ કહી ગયા છે. એમ કહી ગયા છે કે ઘટતી પરીક્ષા કરો. પરીક્ષા તો થાય છે અને થવાની જ.
ભગવાન શ્રી કાલિકસૂરીશ્વરજી મહારાજા સમર્થ જ્ઞાની હતા. એમને પરીક્ષા કરતાં ન આવડે એમ કોણ કહી શકે તેમ છે? એમને પણ માથાનો મળ્યોને ? બાર બાર વર્ષ સુધી દેખાવમાં ઉત્તમ પ્રકારનું સંયમ પાળ્યું. એના વિનયથી ખુશ થઈ આચાર્ય ભગવાને એને “વિનયરત્નની પદવી આપી, પણ એ પાપાત્મા તો ઓઘામાં છરો છુપાવી રાખતો હતો અને લાગ તપાસતો હતો તેથી બાર વર્ષે રાજાનું ખૂન કરીને નાઠો. એટલા માટે જ આવ્યો હતો. શ્રી કાલિકસૂરીશ્વરજી મહારાજા પણ ઓળખી ન શક્યા. માટે પરીક્ષા તો અમુક રીતની થાય, પણ સર્વજ્ઞ યા તેવા વિશિષ્ટ જ્ઞાની વિના આવી ઊંડાણ પોલ હોય તેવી ખબર પણ શી પડે? પાપમાં કલ્યાણ માનનાર તરે?
સભા : એને આ સંયમ વગેરેનો લાભ ખરો ?
નહિ. કેવળ બૂરી ભાવના માટે જ આ બધું હતું. આટલું છતાં ભાવના ફરી હોત અને છરો ફેંકી દઈ પસ્તાવો કર્યો હોત તો કામ થાત. આ તો અભવી હતો એટલે એમ થાય જ નહિ, બાકી ખોટી ભાવનાથી આવે અને આવ્યા પછી પણ ભાવના ફરે તો કલ્યાણ થવામાં વાંધાસે નથી. દુઃખથી, મોહથી પણ સંયમ લઈને, પાછળથી વર્ષોલ્લાસ પામીને અનંતા આત્માઓ મુક્તિએ ગયા, પણ મરે તોય પોતાનું ન મૂકે, દોરડી બળે તોય વળ ન મૂકે, એવા આત્માઓ માટે મુક્તિ નથી.
અમુક વિચાર કે હેતુથી વિરુદ્ધ ભાવ આવે તે સુધરે, પણ જે વિરોધમય જ બને ત્યાં શું થાય ? એને તો શ્રી તીર્થંકરદેવની દેશના પણ અસર ન કરે. એણે તો પાખંડ પોષવાનું જ નક્કી કરેલું હોય છે. હિંસક, પાપી, જુઠા, ચોટ્ટ, ઇર્ષાળુ, કજિયાખોર એ બધા સુધરે પણ તે પાપને સારું માનનાર કઈ રીતે સુધરે ? આ શાસનમાં હિંસક, ચોટ્ટા, વ્યભિચારી વગેરે બધા સારા નિમિત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org