SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ m –– ૯ પ્રભુની દેશના અને તેના અધિકારી - 59 – ૧૩૭ આ જ કારણે શાસ્ત્રકાર કહે છે કે મિથ્યાષ્ટિને પણ દ્રવ્ય સમ્યક્ત્વનો આરોપ કરીને દીક્ષા દેવી અને તેમ કરવામાં એક જ ઇરાદો છે કે આ ગુણનો અનુભવ કર્યા પછી તીવ્ર અશુભ કર્મના ઉદયે આત્માનો અધ:પાત થઈ જાય તો પણ તે ગુણના આનંદને ભૂલે નહિ, કારણ કે એ મજા એને જરૂર મોડાં-વહેલાં પણ ખેંચશે જ. જંગલનો ભીલ જાણે નહિ ત્યાં સુધી નજરે પડેલા સાકરના ઢગલાને પણ ઉવેખે, પણ ચાખ્યા પછી સાકરના ગાંગડા ગોતે અને વિણે. પથ્થરમાં પડેલા હીરાને પણ પરખનાર જ્યાં હીરો ભાળે, ત્યાં એની આંખ તો ખેંચાય જ. પણ હીરાને જે જાણતો જ ન હોય તે શું કરે ? નિદ્ભવ થયા તો થયા, પણ વસ્તુને પામ્યા તે જરૂર જ તરવાના અને પ્રાયઃ બીજાને પણ તારનારા થવાના. પહેલા તો છે પણ ચડેલા છે ક્યાં ? પડવાની બીકે ચડાવાય નહિ તો પછી ચડશે કોણ ? ચડે નહિ તો અનુભવ પણ શી રીતે થાય ? અને તો પછી સ્વપર-હિત થાય જ કયાંથી ? એક પણ અતિચાર ન લાગે તેવાને જ દીક્ષા આપવી, એવું જો ભગવાન ફરમાવે તો તો ભગવાનની સાથે જ શાસન સાફ થાય, પણ તેમ નથી થતું કારણ કે શાસન બકુલ અને કુશીલથી ચાલે છે. શ્રી તીર્થંકરદેવ તો અમુક કાળ રહે, પછી શ્રી ગણધરદેવો પણ અમુક કાળ રહે, ચૌદ પૂર્વીઓ અને ચોવીસ પૂર્વીઓ પણ અમુક કાળ રહે, અને પછી તો જે હોય તે જ ને? શ્રી ઉદાયન મંત્રીને નિર્ધામણા કરાવનાર વંઠ મુનિનું દૃષ્ટાંત પણ આપણે જોઈ ગયા છીએ. અટવીમાં અંતિમ સમયે એ મંત્રીશ્વરની નિર્ધામણા (આરાધના) કરાવવા સારુ એક વંઠને મુનિનો વેશ પહેરાવી લાવવામાં આવેલ છે. જો મંત્રીશ્વરને બનાવટ છે, એમ ખબર પડે તો આરાધના બરાબર ન થાય, માટે એને બરાબર શીખવવામાં આવેલ છે. કેમ બોલવું, કેમ ચાલવું તે બતાવેલ છે. એને જોઈને મંત્રીશ્વરે એને ભાવપૂર્વક ગૌતમની જેમ વાંદ્યા છે. એ સમજતા કે “મારે તો જે મુનિ મળ્યા તે ગૌતમ. મુનિ હોં ! એ યાદ રાખો, પણ પતિત નહિ. રીતસર આરાધના થઈ ગઈ. મંત્રીશ્વર સ્વર્ગવાસ પામ્યા પછી બીજા મંત્રીઓએ વેષ ઉતારવાનું કહ્યું, પરંતુ પેલો વંઠ પણ વેષ ઉતારવાની ના કહે છે એમ કહે છે કે જેને ગુજરાતનો મંત્રીશ્વર નમે, ગુજરાતનો મંત્રીશ્વર જેને નમવામાં પોતાના આત્માનો ઉદ્ધાર માને, તે સંયમ અનાયાસે સાંપડ્યું, હવે તો યાવજીવિત રાખવાનું, અને માવજીવ છઠ્ઠને પારણે છઠ્ઠ કરીશ.” એ રીતે સંયમ પાળ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy