SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ ----- - Se માટે આ પ્રમાણે બોલે છે, તેઓનાં માબાપને એ ખબર નથી કે પૂર્વાચાર્યોને સ્વાર્થી અને પ્રપંચી કહે છે તે અવસરે અમારી શી હાલત કરશે ! એ ઉન્મત્તો અવસરે માબાપને પણ લાત ન મારે એમ માનતા જ નહિ. માબાપ પાસે કાંઈ લાગતું-વળગતું હશે, માટે જ બાપાજી-બાપાજી કરતા હશે. બાકી જે દિવસે એ માબાપ “આ નહિ થાય' - એમ કહેશે કે ઝટ “નોનસેન્સ' કહીને ઊભા રહેશે. આજના યુવકોને માબાપથી કંઈ જ નહિ કહેવાય. મહાજ્ઞાનીઓ કે જેમનાં પુસ્તકો વાંચતાં મોટા મોટા પંડિતોનાં પણ શિર ઝૂકે છે, તેમને મૂર્ખ, સ્વાર્થી, પ્રપંચી અને દંભી કહેનારાઓ એ, પોતાનાં માબાપને શું ન કહે ? એક કવિએ કહ્યું છે કે : "एते सत्पुरुषाः परार्थघटकाः, स्वार्थान् परित्यज्य ये । सामान्यास्तु परार्थमुद्यमभृतः, स्वार्थाऽविरोधेन ये ।। तेऽमी मानवराक्षसाः परहितं, स्वार्थाय निघ्नन्ति ये । ये तुघ्नन्ति निरर्थकं परहितं, ते के न जानीमहे ।।१॥" જેઓ પોતાના સ્વાર્થોનો પણ પરિત્યાગ કરીને અન્ય આત્માઓનું હિત કરે છે, તે સત્પષ છે જેઓ પોતાના સ્વાર્થોને બાધ ન આવે તે રીતે પરહિત સાધે છે, તે સામાન્ય પુરુષ છે અને જેઓ પોતાના સ્વાર્થ ખાતર પરહિતને હણે છે, તે માનવરૂપે રાક્ષસી પુરુષ છે. પરંતુ જે આત્માઓ માત્ર સ્વાર્થ વિના પણ પારકા હિતને હણે છે, તેવા અધમાધમ આત્માઓ માટે તો આ કવિ પણ કહે છે કે તેમને માટે કઈ ઉપમા આપવી તેનીય સમજણ પડતી નથી ! એટલે કે જે લોકો ઇરાદાપૂર્વક જ વિના સ્વાર્થે પરહિતને હણવામાં મજા માણે છે, એને કેવી ઉપમા આપી શકાય? આપણો મુદ્દો એ છે કે શ્રી જિનેશ્વરદેવે જાણવા છતાં આવાને દીક્ષા કેમ આપી ? જ્ઞાની કહે છે કે તમે પડી ગયાની બૂમ ન મારો. ચડીને ઘણા પડ્યા, પણ સર્વે અર્ધપુદ્ગલ પરાવર્તનમાં મુક્તિએ જનારા નિયત થયા : પણ પડવાની બીકે જે ચડ્યા જ નથી, તેનો તો પત્તો જ નથી. એક દિવસ પણ સંયમનાં પરિણામ આવી જાય, એનો લાભ જાણો છો ? આત્માને ગુણ સ્પર્શી જાય એનાથી થતો લાભ જાણતા નથી, એનું જ પરિણામ આજની ધમાલ છે. સમ્યકત્વ પ્રાપ્ત થયા બાદ એ આત્માને ઉત્કટ કર્મબંધ પણ પડે નહિ. પણ આ બધી ખબર કોને પડે ? જરાયે અનુભવ કરે તેને ને ! દેવાળિયાને શાહુકારીના સુખની શી ખબર પડે ? “અબી બોલ્યા અને અબી ફોકવાળાને એ ખબર કેમ જ પડે ? તે જ રીતે ગુણપ્રાપ્તિનું સુખ અને એનું પરિણામ અપૂર્વ જ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy