________________
ors
- ૯ : પ્રભુની દેશના અને તેના અધિકારી - 59 ––
૧૩૫
પણ હતા કે “આ ધૂર્તના ધૂર્ત છે. બહાર જઈ “ગપ્પાં મારે છે' -એમ કહેનાર છે. તે છતાંય તેવાઓને ઉઠાડવામાં આવ્યા નથી કે ભગવાને સન્માર્ગની દેશના બંધ કરી નથી. નિદ્ભવ થનારાને પણ ભગવાને દીક્ષા આપી છે. જમાલિ એ નિદ્ભવ થયા કે નહિ ? જમાલિ કોણ ? ભગવાનનો ભાણેજ ને જમાઈ. એને પણ ભગવાને દીક્ષા આપી. એમની દીક્ષાનો મહોત્સવ પણ ઘણો જબરો : દીક્ષાના વરઘોડાઓમાં દાખલો પણ એનો દેવાય છે. “એ નિદ્ભવ થનાર છે' - એમ ભગવાનને ખબર તો હતી, છતાંય દીક્ષા કેમ આપી ? નિદ્ભવ ભંડો તો ખરોને ? એવો આગમનો જ્ઞાતા, ગીતાર્થ પણ પડ્યો, માટે એને દીક્ષા આપી એ ખોટું તો ખરુંને ! આજના અજ્ઞાનીઓનો મત તો આ છે ને ! ચડ્યો એની આજના અજ્ઞાનીઓને કિંમત નથી. ઘણા પડી ગયા માટે ચડવુંય નહિ અને ચડાવવુંય નહિ, એવો આજનો મત છે ને ? “દીક્ષા ન આપી હોત તો નિહ્નવ થાત ? અને નિદ્ભવ ન થાત તો વેષમાં રહી જેટલાને પતિત કર્યા તેટલાને પતિત કરત ?” –આજનો આ પ્રશ્ન છે ને ? આ કપડામાં રહીને ઘણાને પતિત કરાય એ વાત ખરી કેમ કે જનતાએ ત્યાં વિશ્વાસ મુક્યો છે. સાધુનાં કપડામાં રહી વિપરીત વર્તે એ વિશ્વાસઘાતી છે, એ વાત પણ સાચી છે ને ? ખુદ ભગવાનને જુઠ્ઠા કહેનાર એ જમાલી હતો. કારણ કે-“ભગવાન પણ ભૂલ્યા” - એવું એણે કહ્યું ! “ભગવાન સર્વજ્ઞ ખરા પણ અહીં ભૂલ્યા'-આવું કહેનાર એ જમાલી. ભગવાન શ્રી ગૌતમસ્વામીજીએ એને પ્રશ્નાદિક કરી પાછો હઠાવ્યો, તોય બહાર જઈને પોતાને સર્વજ્ઞ માનવા લાગ્યો. આવાને ભગવાને દીક્ષા કેમ આપી ? ઉસૂત્રભાષી થનાર મરિચીને ભગવાન શ્રી ઋષભદેવસ્વામીએ દીક્ષા કેમ આપી ? રોહગુપ્ત, ગોષ્ઠામાહિલ અને શિવભૂતિ નિદ્ભવ થયા. ભગવાન જાણતા હતા કે આ નિદ્ભવ થનારા છે, તો એવાઓને દીક્ષા ન આપતા એવું કેમ ન કહી ગયા ?
જૈનશાસનમાં સાત નિદ્ભવ નાના થયા છે અને એક નિહ્નવ મોટો થયો છે. તે પછી જે પાક્યા છે તે તો કોઈ ભયંકર જાતના જ પાક્યા છે. પેલા તો સંયમ રાખતા, માત્ર અમુક વિચારમાં જ વાંધો, પણ બીજું તો બધું જ રાખ્યું અને આજ તો બધું જ ઊંધું કરનારા પાક્યા. “આ જમાનામાં આવું કાંઈ નભે જ નહિ' - એમ કહેનારા થયા છે. અને પોતાના તે કથનની પુષ્ટિને માટે કહે છે કે “પૂર્વાચાર્યો સ્વાર્થી અને પ્રપંચી હતા' “આગમને આઘાં મૂકો' - એમ કહેનારાઓ પૂર્વાચાર્યો માટે આટલે સુધી કહે છે. જેઓ પરમ ઉપકારી પૂર્વાચાર્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org