________________
૧૩૪
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - એકેંદ્રિય, બેઇંદ્રિય આદિ જીવો ઉપર ઘણીયે ભલાની ભાવના આવે, અને હાથમાં લઈને કહે કે “ધર્મ પામો' પણ એ પામે ? દુર્ભાગ્ય યોગે એ એવો છે કે એનામાં વાણી જ ન પ્રવેશે અને સાંભળે તો પામેને ! છતાંય એ પણ સુખી થાઓ એ ઇરાદો તો ખરો જ. એને પણ મારવો નહિ એમ બીજાને કહે એટલો ઉપકાર એના માટે થાય. ચાલે તોયે ઘાત ન થાય તેવી કાળજી રાખે, તેમ કરવા બીજાને પણ કહે. એ રીતે હિતૈષીપણું બધામાં જ હોય. બધાંય સ્વરૂપ પ્રાપ્ત કરી સુખી થાઓ એ જ ભાવના. ઘણા ન પામે માટે એ ભાવનામાં સંકોચ ન જ થાય. જમાડનાર કોઈને માંદા પાડવા ઇચ્છે છે ? નહિ જ. તો શું માંદા પડે છે માટે ડૉક્ટર બેસાડવા; કે નાડ જોઈ પચે એવું લાગે તેને જ જમાડવા એમ ? અને જો એમ જ કરવું પડે તો તો પછી જમતી વખતે પણ ડૉક્ટર ફેરવવા પડશે. પણ તે શક્ય જ નથી, કારણ કે માંદા પડે છે એ દોષ જમાડનારનો નથી, પણ જમનારનો છે. જમાડનારે તો કોઈને હાનિ ન કરે તેવી સારી અને કીમતી ચીજ વાપરવી જોઈએ, નહિ તો ખરાબ ચીજ, ખોરી ચીજ લાવે તો એ પણ ગુનેગાર. વસ્તુ સારી અને પ્રમાણોપેત વાપરે, કે જેથી કોઈને નડે નહિ, એ કાળજી રાખવાનું કામ જમાડનારનું છે. કેટલું ખાવું, જે ખાય છે તે પોતાને અનુકૂળ કે પ્રતિકૂળ, પોતા માટે તે પાચક છે કે નહિ, તે જોવાનું કામ તો જમનારનું છે. એ ખ્યાલ ન રાખવાથી જમનાર માંદા પડે તેનું પાપ જમાડનારને નથી. બધાનું ભલું થાય, બધા ધર્મી થાય, એ ભાવના જમાડનારની. અહીં પણ સર્વનું ભલું થાઓ એ જ ઇચ્છા - એ ભાવના બધા જ માટે એકસરખી. કોઈનું ભલું ન પણ થાય, પણ તેના ભલાની ઇચ્છા નહિ એમ નહિ. એવી એકસરખી ભાવના ન હોય, તો એકસરખી વાણી ન નીકળે.
સત્ય ધર્મ બહુ જ થોડાને રુચે છે. “કોને રુચે અને કોને ન રુચે' –આ જોવા જ બેસી જાય, તો બોલતાં આંચકો આવ્યા જ કરે. “આને જ રુચે અને આને ન જ રુચે' - એની છબસ્થ માટે પરીક્ષા પણ શી ? સર્વજ્ઞદેવને તો ખાતરી પણ હોય, પણ બીજાની હાલત શી ? “કોઈને ન રુચે તો ?' આમ જ થયા કરે તો તો બોલતા બંધ જ થવું પડે. સર્વજ્ઞ તો જાણે પણ કે આને રુચતું નથી, પણ કહ્યું જાય અને જેને ન રુચે તેને પણ ઉઠાડાય નહિ, કારણ કે એમ ઉઠાડે તો તો ધાંધલ જ ચાલે : અનેક આવે અને અનેક જાય એટલે દેશના દેશનાને ઠેકાણે રહે. ફાવે તે લે અને ન ફાવે તે મૂકીને વહ્યા જાય, એમાં ગભરામણ પણ શી ?
ભગવાનની દેશનામાં સંખ્યાબંધ પાખંડી આવતા અને ભગવાન જાણતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org