SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ a – ૯ : પ્રભુની દેશના અને તેના અધિકારી - 59 – ૧૩૩ દબાણથી અને ભવિષ્યના ભયના વિચારથી પણ ક્ષમા થાય છે. એવી પણ ક્ષમા થાય છે કે વગર વિચારે, વગર ભયે ગુસ્સો આવે જ નહિ. ભાણું આવ્યું કે કોળિયો સીધો મુખમાં જ જાય છે એ શાથી ? આંધળો હોય તો પણ ત્યાં જ જાય એ શાથી? અભ્યાસ થઈ ગયો એથી. શીખતાં ભલે વાર પણ લાગી હોય, પણ પછી તો સીધી રીતે કામ ચાલે. માખી બેસે કે હાથ ઊઠે જ. તેવી જ રીતે અહીં વગર વિચાર પણ ઉપકાર થાય. એમને ઉપકારી કહી શકાય : ઉપકાર કરે છે એમ કહેવામાં વાંધો નથી. એ તારે છે, એ તારક છે એમ કહેવામાં જરા પણ વાંધો નથી. પાટિયામાં એ ગુણ કે જહાજમાંથી પડેલાને કિનારે લઈ જાય. પાટિયું કઈ બુદ્ધિએ લઈ જાય છે ? પાટિયું તો જડ છે, પણ એનામાં એ જ ગુણ કે પાણીમાં જે કોઈ એને વળગે તેને બહાર મૂકી આવે. એમાં કોઈ પ્રેરક ન જોઈએ, પણ પાટિયું બરાબર પકડવું તો જોઈએ અને તો જ ડૂબતો પણ બહાર આવે. પાટિયું ઇરાદાપૂર્વક નથી લઈ જતું, પણ એનો એ સ્વભાવ છે. તીર્થંકર નામકર્મનો એ સ્વભાવ છે કે એના યોગે તીર્થકર દેશના દે, અને સંખ્યાબંધ આત્માઓને ઉપકાર થાય જ. પેલા અચેતન પાટિયાને તારક કહેવાય તો સંપૂર્ણજ્ઞાની શ્રી તીર્થંકરદેવને તારક કહેવામાં વાંધો જ શો છે ? ‘સવિ જીવ કરું શાસનરસી'ની ભાવના : પરમ તારક શ્રી જિનેશ્વરદેવોના આત્માની “સવિ જીવ કરું શાસનરસી” – આ ભાવનામાં જરા પણ સંકોચ ન રહે. નિર્ભાગ્ય આત્માઓનું હિત થતું નથી એ ખરું, પણ ભાવના તો સર્વના હિતની હોવી જ જોઈએ. પાલખીમાં બેઠેલો દાતાર તો ફેંક્ય જ જાય. કોઈ લે કે ન લે પણ તો ફેંક્ય જ જાય. પોતે ફેંકેલ કાદવમાં પણ રગદોળાય, ધૂળમાં રહી રગદોળાઈ ધૂળ જેવા થાય, પણ દાતાર તો પૈસા ફેંક્ય જ જાય, અને એથી એને તો દાનનો લાભ મળે છે. તે જ રીતે ભલું કરવાની ભાવના પણ સર્વની જ જોઈએ અને એથી “સર્વે સુખી થાઓ' - એ જ ભાવના. પછી કર્મવશાત્ દુઃખી થનારા દુઃખી થાય ત્યાં તો ઉપાય જ નથી ! આપણે તો ઘણુંયે સામાનું ભલું ઇચ્છીએ, પણ પૂર્વે અશુભ બાંધીને આવ્યા હોય એ ભોગવે ત્યાં શું થાય ! બાકી જો હિતની ભાવના સંકુચિત થાય, તો એ ભાવના ટકે નહિ. નિગોદિયા ઉપર તે રૂપમાં ઉપકાર થવાનો છે? નહિ જ. નિગોદમાંથી નીકળ્યા પછીની વાત જુદી. એના પર એટલો ઉપકાર થાય કે બીજાને એમ કહે કે નિગોદિયાની પણ દયા પાળો, કારણ કે એ પણ સુખી થાઓ એ ભાવના તો ખરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy