________________
૧૩૨
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
972
નામકર્મનો વિપાક વેદવા માટે. એ વિપાક એટલે શું? ગ્લાનિ વિના ધર્મદેશનાનું દાન, તીર્થંકર-નામકર્મના વિપાકનો એ સાચો ભોગવટો છે. નિશ્ચય નય તો કહે છે કે વિહાર કરતી વખતે પણ એ દ્રવ્યતીર્થંકર કહેવાય, પણ જ્યારે સમવસરણમાં બેસી દેશના દેતા હોય, ત્યારે જ ભાવતીર્થકર કહેવાય ! દેશના વખતે કોઈનું ભલું કરવાની ભાવના ખરી ? નહિ, કારણ કે વીતરાગ થયા પછી કોઈ જાતની ભાવના જ રહી નથી. ત્રીજા ભવથી આરંભી કેવળજ્ઞાન થાય ત્યાં સુધી ભાવના સીંચીસીંચીને આત્માને તરબોળ બનાવ્યો છે. તીર્થકરના ભવથી ત્રીજા ભવથી લઈને કેવળજ્ઞાન થાય ત્યાં સુધી “સવિ જીવ કરું શાસનરસી” - એ ભાવના ખૂબ કેળવી, એટલે કે આત્મામાં ઠાંસી ઠાંસીને એ ભાવના ભરી. એ ભાવનામાં આત્મા તન્મય બન્યો, એકતાર બન્યો અને તેથી કેવળજ્ઞાન થયા પછી હવે ભાવનાની જરૂર રહેતી નથી. એ તારકની દેશના કલ્યાણ કરે એ વાત સાચી, વસ્તુ ઉપકારની ભાવનામય બની જાય એ વાત સાચી, પણ વિતરાગને એવી પણ ઇચ્છા હોય જ નહિ : ઇચ્છા વિના એ તારકની દેશનાથી કંઈકનાં કલ્યાણ થઈ જાય ! આથી સ્પષ્ટ છે કે ભગવાન શ્રી તીર્થંકરદેવ દેશના ઇરાદાપૂર્વક નથી દેતા, પણ તીર્થંકર-નામકર્મ દેશના દેવરાવે છે. તીર્થંકરનામકર્મનો ગુણ એ કે ધર્મતીર્થની સ્થાપના કરવી.
સવિ જીવ કરું શાસનરસી-એ ભાવનાના યોગે તીર્થંકર-નામકર્મ નિકાચિત કર્યું, હવે એ કર્મના વિપાકમાં સ્વયમેવ એ ભાવનાનો પ્રચાર થાય છે. કેવળજ્ઞાનીને ઇચ્છા ન હોય, વિચાર પણ ન હોય, કારણ કે એવા વિચાર તો અધૂરા જ્ઞાનીઓને કરવા પડે છે. સંપૂર્ણ જ્ઞાનીને વિચાર કરવાની જરૂર જ નથી રહેતી.
આ વસ્તુ કેવી છે અને કેવી નહિ ?' -આ બધું કોને જોવું પડે ? અધૂરા જ્ઞાનીને. સર્વજ્ઞને તો ત્રણે કાળના સઘળા પદાર્થોનું – થયા તે, થાય છે તે અને થશે તે બધા પદાર્થોનું સંપૂર્ણ જ્ઞાન એકીસાથે જ થાય. આટલા બનાવો બન્યા, આટલા બની રહ્યા છે (બને છે) અને આટલા બનનાર છે, તે બધાનું એક સમયમાં જ્ઞાન થાય. આ જ્ઞાનીને વિચારવાનું શું ? “સવિ જીવ કરું શાસનરસી' - એ ભાવનાને એવી કેળવી છે કે, હવે ઉપકાર કરવાની ઇચ્છાની જરૂર જ રહેતી નથી.
આ તારકોએ પ્રથમથી જ ક્ષમાને એવી કેળવી છે કે જેથી છદ્મસ્થ કાળમાં પણ સ્વાભાવિક રીતે ગુસ્સો આવે જ નહિ. ક્ષમા બહુ રીતે થાય છે. ભયથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org