________________
sri
- ૯ : પ્રભુની દેશના અને તેના અધિકારી - 59 --
૧૩૧
વગરનાના નાથ થઈને ભગવાન કરે શું ! દુનિયાના દાતાર પણ દાતાર થાય કોના ? યાચકના કે અયાચકના ? દેવાની ભાવના તો એવી કે દરેકને દઉં, પણ યાચક સિવાયનાને દેવાય શી રીતે ? તો હવે વિચારો કે ભગવાન નાથ કોના બને ?
સભા : ભવ્યના.
સઘળા ભવ્યના પણ નહિ, કારણ કે ભવ્યોમાં પણ દુર્ભવ્યાદિ હોય તેના ઉપર યોગક્ષેમ ન થાય. અલ્પ સંસારી હોય તેના ઉપર થાય. લોકપ્રદીપ ત્યાં લોક શબ્દમાં વિશિષ્ટ જ્ઞાની એવો અર્થ. લોકપ્રદ્યોતકર ત્યાં ચૌદપૂર્વી – તેમાં પણ વિશિષ્ટ એવા ગણધરદેવોને એ અર્થ વધુ લાગુ પડે. ત્રણ પદમાં દ્વાદશાંગી કોને આવડે ? તમને અને અમને આવડે ? નહિ, એ તો એમને જ આવડે. લોક શબ્દના બધે જ અર્થ જુદા. શબ્દ એક છતાં અર્થ પ્રસંગે પ્રસંગે ભિન્ન ભિન્ન. આપણામાં તો અત્યારે દ્વાદશાંગી સાંભળવાની પણ તાકાત ન આવે, તો બનાવવાની તાકાત આવે જ ક્યાંથી ?
શ્રી ભદ્રબાહુસ્વામી પાસે વાચના લેવા પાંચસો સાધુ ગયા હતા. એમણે વાચના દેવા માંડી કે ચારસો નવાણુ ખસી ગયા અને એક માત્ર શ્રી સ્થૂલભદ્રજી રહ્યા. જેની વાચના લેવી પણ કઠિન એવી દ્વાદશાંગી શ્રી ગણધરદેવે તો બનાવી દીધી. એવી તાકાતવાળાને પ્રભુ પ્રદ્યોતકર કેમ કરીને થઈ શકે ? “દૂધપાક પોષક છે'-એ વાત સાચી, પણ કોને ? નાનાં બચ્ચાંને આપે તો પચે નહિ અને વખતે એ પોષક દ્રવ્યથી જ મરી પણ જાય, કારણ કે એને તો પ્રાયઃ માતાનું સ્તનપાન જ સારી રીતે જિવાડે. ગાય-ભેંસનું દૂધ પણ ઘણાં બાળકોને પચતું નથી. એટલા માટે તો મા મૂઆ પછી બચ્ચાંને જિવાડવાં પણ ભારે થઈ પડે છે. ભાગ્યવાન હોય એ જીવે એ વાત જુદી ! આથી સ્પષ્ટ છે કે સારામાં સારી ચીજ, પૂરતો લાભ તો યોગ્ય આત્માને જ આપે.
ભગવાનના અતિશયો, એ તારકનો મહિમા, એમની શક્તિ, એ બધાનો લાભ યોગ્ય પાત્રને જ થાય. એ વાણી પાત્રાનુસાર પરિણમે. ગણધર ભગવાનને જુદી રીતે પરિણમે, બીજાને બીજી રીતે પરિણમે : કોઈને કોઈ રૂપે પરિણમે તો કોઈને કોઈ રૂપે પરિણમે.
શ્રી તીર્થકરદેવો દેશના શા માટે દે છે? ભગવાન દેશના દે છે તે તીર્થંકર
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org