SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ 40 સભા : તો પછી અતિશય કેમ કહેવાય? કોલસાની કાળાશ ન જાય માટે સાબુમાં ધોળા કરવાનો ગુણ નથી એમ મનાય ? સૂર્ય ઘુવડને દેખતો ન કરી શકે, માટે સર્વપ્રકાશક ન કહેવાય ? દુર્જનને સજ્જન બનાવે તો જ તે સજ્જન કહેવાય, નહિ તો નહિ એમ ? લોક શબ્દના ભિન્ન ભિન્ન અર્થો ભગવાનનો અતિશય છે કે સવાસો જોજનમાં કોઈને દુઃખ ન થાય, પણ રાજગૃહીમાં પધાર્યા ત્યારે મહારાજા શ્રેણિકના પુત્ર મૃગાલોઢાને કેવું દુઃખ હતું ? એ જન્મ્યો ત્યારથી માંસના લોચા જેવો હતો. દુર્ગધ એટલી છૂટતી કે ભોંયરામાં રાખવો પડતો. નાક બાંધી આહાર અપાતો. એ લોચા પર આહાર મૂકે, પરુ થઈને બહાર નીકળે. આથી સ્પષ્ટ છે કે જ્યાં નિકાચિત કર્મનો ઉદય હોય, ત્યાં ભગવાનના અતિશય પણ કામ ન કરે. ભગવાન જેમ જેમ હિતકર વાત કહેતા ગયા, તેમ તેમ ગોશાળાનો ગુસ્સો વધવા લાગ્યો, કારણ કે તેને તીવ્ર પાપનો ઉદય હતો. એથી તેણે પરમહિતૈષી એવા ભગવાનની ઘોર આશાતના કરી, અને ભગવાનને બાળી નાખવાની નીચ ભાવનાએ પણ ચડી ચૂક્યો. આટલી હદની નીચ કાર્યવાહી થાય, ત્યાં ભગવાનના અતિશય પણ શું કરે ? ઉપકારીની ઉપકારભાવના પણ અયોગ્ય આત્માને ફળે નહિ. “નમુત્થણમાં અનેક સ્થળે “લોક' શબ્દથી ભિન્નભિન્ન લોક ગ્રહણ કરેલ છે. લોકમાં ઉત્તમ કહ્યા ત્યાં ભવ્ય લોકમાં ઉત્તમ એવો અર્થ કર્યો અને લોકના નાથ કહ્યા; ત્યાં જે આત્માનું ભગવાન યોગ અને ક્ષેમ કરી શકે તેના નાથ એમ કહ્યું છે. યોગ એટલે નહિ પામેલાને રત્નત્રયી પમાડવી અને પામેલાની રત્નત્રયીનું રક્ષણ કરવું તેનું નામ ક્ષેમ. લોકનું હિત કરનાર ત્યાં લોક એટલા બધા જ, કારણ કે તે તારકની પ્રવૃત્તિ બધાના હિતને જ માટે છે, પણ નાથ શબ્દ તો ત્યાં જ લાગુ થાય કે જ્યાં યોગ અને ક્ષેમ કરી શકાય. સભા: તો ત્રણ લોકના નાથ કેમ કહ્યા? હા, યોગ અને ક્ષેમ કરી શકાય તેવા જીવો ત્રણેય લોકમાં છે ને ! બાકી ત્રણ લોકના બધા જીવોના નાથ' એમ નહિ. અને હોય તો કહો કે ભગવાન સંગમના નાથ ખરા ? નહિ જ, પણ સંગમના હિતેચ્છુ તો ખરા જ. આથી જ સ્પષ્ટ છે કે ભગવાન સર્વના હિતચિંતક ખરા, પણ નાથ નહિ ? કારણ કે રત્નત્રયી પમાડે અને રક્ષા કરે તે નાથ, માટે રત્નત્રયી પામવાની યોગ્યતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy