________________
છ00 – – ૯ઃ પ્રભુની દેશના અને તેના અધિકારી - 59 –– ૧૨૯ થાય ત્યારે પણ ઇંદ્રાદિ આવે અને મહોત્સવ કરે. આ બધું તીર્થકર-નામકર્મના યોગે આપોઆપ જ થાય છે. બધા જ અતિશયો એ તીર્થકર નામકર્મનો પ્રભાવ છે. વાણી પણ કેવી મહિમાવંતી ! પ્રભુની વાણી એક યોજન સુધી સરખી રીતે પ્રસરે છે, એટલે કે સરખી રીતે સંભળાય છે. દેવતાઓ પણ તેમાં વાજિંત્રના સૂર પૂરે અને તે પણ એવી રીતે પૂરે, કે જેથી વાજિત્રના સૂર અને વાણી એકરૂપ બની જાય. તે તારકની વાણી અવિચ્છિન્નપણે એકસરખી રીતે સંભળાય. એ તારક તીર્થકર-નામકર્મ રહે ત્યાં સુધી રોજ બે પ્રહર અવિચ્છિન્નપણે દેશના આપે. પહેલી પોરસી અને ચોથી પોરસી પ્રભુ દેશના દે. એ જોજન સંભળાય તેવો સૂર કાઢે. દરરોજ બે પ્રહર એ રીતે નિયમિત બોલવું અને તે પણ વર્ષો સુધી, એ દશામાં સામાન્ય આદમી કેટલું જીવે ? પણ તે તારકમાં તે તાકાત છે. શ્રી જિનેશ્વરદેવો દેશના દે છે, તે તીર્થંકર-નામકર્મને વેદવા માટે દે છે. આ વાત સમજાઈ જાય તો બધા જ આજના કુવિકલ્પો આપોઆપ શમી જાય. સભા: તે વખતે તોફાની આવતા હશે ?
એ વખતે પણ તોફાની એવા આવતા કે ભગવાન ખુદને શ્રી ગૌતમસ્વામીજી આદિને આઘા ખસેડવા પડતા. જ્યારે ગોશાળો આવ્યો ત્યારે ભગવાને બધાને આઘા ખસવાનું કહ્યું. ગોશાળો સમવસરણમાં આવી ભગવાન સમક્ષ યદ્રા તા બોલ્યો, ત્યારે તેને રોકવાનો પ્રયત્ન કરતા “સર્વાનુભૂતિ' અને “સુનક્ષત્ર” એ બે મુનિવરોને તેણે બાળી પણ મૂક્યા. સભા તે વખેત કોઈએ રોક્યો નહિ ?
કોણ રોકે ? સામાના અશુભના ઉદય વખતે એવી છાયા પડે છે કે સમકાલે સર્વની બુદ્ધિ સરખી જેવી થઈ જાય. પોતાની તેજોલેશ્યા પોતાને બાળવાની છે, તીવ્ર અશુભનો ઉદય આવી લાગ્યો છે, એ જો કોઈ રોકે તો બને શી રીતે ? ગોશાળાને એ રીતે સાત દિવસ હેરાન થવાનું હતું. ભગવાનના અતિશય પણ ત્યાં અસર ન કરે. અતિશય પણ પુણ્યવાનને ફળે. પાપી માટે તો અતિશય પણ નથી ફળતા. પ્રભુનો એ અતિશય છે કે જાતિવૈરવાળાં પ્રાણીઓ પણ શાંત થાય અને વૈર ભૂલી જાય,તથા “માર માર' કરતો આવેલો પણ શાંત થાય, પણ ગોશાળો શાંત ન થયો, કારણ કે ભારેકર્મી આત્મા માટે તો અતિશય પણ ન ફળે. શ્રી તીર્થંકરદેવની વાણી ગ્રંથિભેદ કરે, પણ અભવી કાયમ આવે તોયે તે ન થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org