SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ પરંતુ મુખ્યતયા દેશના મનુષ્યને ઉદ્દેશીને છે. તિર્યંચો ઘણું પામે તો દેશવિરતિ પામે અને દેવતાઓ બહુ તો સમ્યકત્વ પામે અગર મેળવેલું હોય તો નિર્મળ કરે, પણ મનુષ્યો તો જો શુદ્ધ ધ્યેયથી પ્રભુની વાણી સાંભળે, સદહે અને પોતાની સઘળી શક્તિનો ઉદ્યમ કરે તથા તેવી જાતનું કોઈ નિકાચિત કર્મ અંતરાયરૂપ ન હોય, તો જરૂર સર્વવિરતિરૂપ પરમ ધર્મને પણ પામી શકે. આ જ કારણથી પ્રભુ શ્રી જિનેશ્વરદેવોની દેશનાના મુખ્ય અધિકારી મનુષ્યો છે. પ્રભુના ઊંચા આદર્શને પામવા શક્તિ, સામગ્રી અને સાધન જે રીતનાં મનુષ્ય પાસે છે, તે રીતનાં બીજાઓ પાસે નથી. આથી મનુષ્ય ધારે તો પ્રભુના ઊંચામાં ઊંચા આદર્શને પહોંચી શકે. શ્રી તીર્થંકરદેવના અતિશયો : વધુમાં ટીકાકાર મહર્ષિએ એ પણ સમજાવ્યું કે “શાક્યોની ધર્મદેશના કુડી' આદિમાંથી પ્રગટ થાય છે અને વૈશેષિકોના પદાર્થોનું પ્રકટીકરણ ઉલૂક ભાવથી થાય છે, તેમ આપણા શાસનમાં નથી : કારણ કે આપણા શ્રી જિનેશ્વરદેવો તો ઘાતકર્મોના ક્ષયથી નિરાવરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી કૃતાર્થ હોવા છતાં પણ, મનુષ્યભાવમાં રહેવા છતાં પ્રાણીઓના હિત માટે ધર્મનું કથન કરે છે. આથી સ્પષ્ટ છે કે શ્રી તીર્થંકરદેવો સ્વયં દેશના દે છે, અને એમના પ્રભાવથી દેવતાઓ બાકીની ત્રણ દિશાઓમાં પ્રભુનાં પ્રતિબિંબ વિદુર્વે છે, જે એમના જેવા જ લાગે. વર્તમાનમાં તો કેટલાકોએ એમ પણ ઊલટું સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે “તીર્થકર દેશના શું કામ દે? કારણ કે એ તો વીતરાગ છે. કોઈનું ભલું કરવાની કે ભૂંડું કરવાની, અર્થાત્ કોઈ પણ જાતની ઇચ્છા જેને ન હોય તે વીતરાગ.' પણ આ પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કરનારા સમજતા નથી કે શ્રી જિનેશ્વરદેવો દે છે, તે પોતે જે “તીર્થંકર-નામકર્મ નિકાચ્યું છે તેને વેદવા માટે દે છે. તીર્થંકર-નામકર્મનો ઉદય થાય ત્યારે આ બધી કરણી થાય જ. તીર્થકર-નામકર્મનો એ પ્રભાવ છે. દેવલોકથી વે કે દેવતાઓ મહોત્સવ કરે, જન્મે કે તરત ઇંદ્ર નીચે આવે, પ્રભુને મેરુ પર્વત ઉપર લઈ જાય અને ચોસઠે ઇંદ્રો મળી સ્નાન-પૂજનાદિ ભક્તિ કરે. આ બધું કોઈ કહેવા જાય છે ? નહિ જ. પણ “શ્રી તીર્થંકર-નામકર્મના પ્રભાવે થાય છે. ત્યાર પછી સંયમ લે કે ઇદ્રો મહોત્સવ કરે. કેવળજ્ઞાન થાય કે ઇંદ્રો અને દેવતાઓ સમવસરણ રચે અને વિનવે કે “હે નાથ ! પધારો અને સંસારથી તારનારી દેશના દો.' તથા નિર્વાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy