________________
૯: પ્રભુની દેશના અને તેના અધિકારી
મની દેશના કોને ઉદ્દેશીને હોય?
અનંત ઉપકારી સૂત્રકારમહર્ષિ શ્રી સુધર્માસ્વામીજીએ સૂચવ્યું કે સ્વર્ગ તથા અપવર્ગ મોક્ષ અને તેનાં કારણો, તેમજ સંસાર તથા તેનાં કારણોને આવરણ વિનાના જ્ઞાનથી સમ્યક્ પ્રકારે જાણનાર એવા શ્રી તીર્થંકરદેવ ભવોપગ્રાહી કર્મોના યોગે મનુષ્યભવમાં રહેવા છતાં, મનુષ્યલોકમાં મનુષ્યોને ઉદ્દેશીને ધર્મનું કથન કરે છે. ચારે ઘાતકર્મોનો ક્ષય થવાથી કેવળજ્ઞાન થાય તે છતાંય, બાકીનાં સાર અઘાતી કર્મ જાય નહિ ત્યાં સુધી, તે પણ આ સંસારથી મુકાતા નથી. ઘાતી કર્મ જેમ સ્વતઃ આત્માના મૂળ ગુણને હણનારા છે, તેવી રીતે અઘાતી કર્મ મૂળ ગણને એટલે અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતચારિત્ર અને અનંતવીર્યને હણનારાં નથી : તે છતાંય તે ચાર અઘાતી કર્મ ન જાય ત્યાં સુધી શ્રી તીર્થંકરદેવના આત્માને પણ સંસારમાં રહેવું પડે છે. અને એથી શ્રી તીર્થંકર-નામકર્મને વેદવા માટે મનુષ્યભાવમાં રહેલા શ્રી તીર્થંકરદેવો મનુષ્યોને ઉદ્દેશીને ધર્મનું કથન કરે છે. જો કે સમવસરણમાં દેવતાઓ પણ આવે છે, તિર્યંચો પણ આવે છે, છતાંય મુખ્યતયા મનુષ્યોને ઉદ્દેશીને કહે એમ શાસ્ત્ર કહ્યું, એનું કારણ એ છે કે પ્રભુપ્રણીત ધર્મની આરાધના માટે મુખ્યતા મનુષ્યની છે. મુખ્ય ધર્મનો સ્વીકાર મનુષ્ય સિવાય બીજા કોઈ જ કરી શકતા નથી. પ્રભુની પહેલા નંબરની દેશનાનો સ્વીકાર મનુષ્ય જ કરી શકે છે. દેવતા તો અવિરતિ છે : તિર્યંચોમાંથી કદી કોઈ વિરતિ પામે તો પણ તે દેશથી, પણ સર્વથી નહિ જ : માટે દેશના મનુષ્યોને જ ઉદ્દેશીને કહેવાય. સમવસરણના દેખાવથી તિર્યંચો પણ આવે. સમવસરણની રમણિકતાથી ખેંચાઈને પણ પ્રવેશે. પ્રભુના અતિશયથી જાતિવૈરવાળાં પ્રાણીઓ પણ પરસ્પર સંમિલિત થાય છે, તેઓના વૈરનું ઉપશમન થાય છે. વળી ભગવાનનો એ પણ અતિશય છે કે દેશના સૌને પોતપોતાની ભાષામાં સમજાય. તિર્યંચો પણ પોતપોતાની ભાષામાં સમજે. એ પણ સમજે કે અમને પણ કહે છે. એ આત્માને પણ એ વાણી લાભ તો આપનારી છે. વધુ નહિ તો જ્યાં સુધી વાણીને સાંભળે છે ત્યાં સુધી તો, એ પણ અપૂર્વ શાંતિ પામે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org