________________
૯: પ્રભુની દેશના અને તેના અધિકારી
59
• પ્રભુની દેશના કોને ઉદ્દેશીને હોય ?
શ્રી તીર્થંકરદેવના અતિશયો : • લોક શબ્દના ભિન્ન ભિન્ન અર્થો : • “સવિ જીવ કરૂં શાસનરસી'ની ભાવના :
• પાપમાં કલ્યાણ માનનાર તરે ? • “મૂરખને જ્ઞાન કદી નવ થાય, દેતાં પોતાનું
પણ જાય.”
વિષય : પ્રભુની દેશનાનો ઉદ્દેશ. અતિશય.
જૈનશાસનની દેશનાનો પ્રાદુર્ભાવ કેવળજ્ઞાનમાંથી થાય છે. જ્ઞાન ન થાય ત્યાં સુધી તીર્થકરો પણ પ્રાયઃ દેશના ન દે. ભવ્યજીવોનું હિત કરવું છે, એ હિત કરવામાં કોઈપણ પ્રકારની કચાશ ન રહી જાય એ જ હેતુ. દેશનામાં દેવ અને તિર્યંચો આવે પણ મુખ્યત્વે દેશના માનવોને ઉદ્દેશીને જ અપાય છે, કારણ દેવ વધુમાં વધુ સમ્યક્ત પામી શકે, તિર્યંચ બહુ તો દેશવિરતિ જ પામી શકે જ્યારે એક માનવ જ એવો છે કે વધુમાં વધુ સર્વવિરતિ પામી શકે, “સર્વવિરતિ વિના શાસન નહિ માટે એની જ મુખ્યતા. આ વાતને સમજાવતાં સાથે તીર્થંકરોના અતિશયો પણ અયોગ્ય ઉપર કામ ન કરે એ મુદ્દો સમજાવવા “સાબ કોલસાને ઊજળો ન કરી શકે' એ દૃષ્ટાંત રજૂ કરાયું છે. તીર્થકરની વાણી પણ યોગ્ય જીવોને જ પરિણમે. ઉદાયન મંત્રી, આર્ય કાલકસૂરિ ને વિનયરત્ન તેમજ જેબૂકુમાર અને પ્રભવ ચોરના ટૂંકા પ્રસંગો અવસરચિત ઘટાવ્યા છે.
મુવાક્યાdg1. • અતિશય પણ પુણ્યવાનને ફળે, પાપી માટે તો અતિશય પણ નથી ફળતા. • ઉપકારીની ઉપકારભાવના પણ અયોગ્ય આત્માને ફળે નહિ. • અચેતન પાટિયાને તારક કહેવાય તો સંપૂર્ણ જ્ઞાની શ્રી તીર્થંકરદેવને તારક કહેવામાં વાંધો જ
શો છે ? ૦ સાધુનાં કપડાંમાં રહી વિપરીત વર્તે એ વિશ્વાસઘાતી છે. • દુઃખથી, મોહથી પણ સંયમ લઈને, પાછળથી વર્ષોલ્લાસ પામીને અનંતા આત્માઓ મુક્તિએ
ગયા, પણ મરે તોય પોતાનું ન મૂકે, દોરડી બળે તોય વળ ન મૂકે, એવા આત્માઓ માટે
મુક્તિ નથી. • દુર્ગુણ એ મિથ્યાત્વ નથી, પણ દુર્ગુણને સારા માનવા એ મિથ્યાત્વ છે. • પાપી તરે પણ પાખંડી ન તરે. પાખંડી તો પાખંડને પોષવા જ માગે. પાપીને તો નિમિત્ત મળે
એટલે તરે ! • પાપને સારું માનવું એ ભયંકર નશો છે. તેથી તો મૂર્ખની પદવી આપવી પડે છે. • ધર્મીની ધર્મક્રિયાને વખોડવી, એ દુર્જનનું લક્ષણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org