SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૯: પ્રભુની દેશના અને તેના અધિકારી 59 • પ્રભુની દેશના કોને ઉદ્દેશીને હોય ? શ્રી તીર્થંકરદેવના અતિશયો : • લોક શબ્દના ભિન્ન ભિન્ન અર્થો : • “સવિ જીવ કરૂં શાસનરસી'ની ભાવના : • પાપમાં કલ્યાણ માનનાર તરે ? • “મૂરખને જ્ઞાન કદી નવ થાય, દેતાં પોતાનું પણ જાય.” વિષય : પ્રભુની દેશનાનો ઉદ્દેશ. અતિશય. જૈનશાસનની દેશનાનો પ્રાદુર્ભાવ કેવળજ્ઞાનમાંથી થાય છે. જ્ઞાન ન થાય ત્યાં સુધી તીર્થકરો પણ પ્રાયઃ દેશના ન દે. ભવ્યજીવોનું હિત કરવું છે, એ હિત કરવામાં કોઈપણ પ્રકારની કચાશ ન રહી જાય એ જ હેતુ. દેશનામાં દેવ અને તિર્યંચો આવે પણ મુખ્યત્વે દેશના માનવોને ઉદ્દેશીને જ અપાય છે, કારણ દેવ વધુમાં વધુ સમ્યક્ત પામી શકે, તિર્યંચ બહુ તો દેશવિરતિ જ પામી શકે જ્યારે એક માનવ જ એવો છે કે વધુમાં વધુ સર્વવિરતિ પામી શકે, “સર્વવિરતિ વિના શાસન નહિ માટે એની જ મુખ્યતા. આ વાતને સમજાવતાં સાથે તીર્થંકરોના અતિશયો પણ અયોગ્ય ઉપર કામ ન કરે એ મુદ્દો સમજાવવા “સાબ કોલસાને ઊજળો ન કરી શકે' એ દૃષ્ટાંત રજૂ કરાયું છે. તીર્થકરની વાણી પણ યોગ્ય જીવોને જ પરિણમે. ઉદાયન મંત્રી, આર્ય કાલકસૂરિ ને વિનયરત્ન તેમજ જેબૂકુમાર અને પ્રભવ ચોરના ટૂંકા પ્રસંગો અવસરચિત ઘટાવ્યા છે. મુવાક્યાdg1. • અતિશય પણ પુણ્યવાનને ફળે, પાપી માટે તો અતિશય પણ નથી ફળતા. • ઉપકારીની ઉપકારભાવના પણ અયોગ્ય આત્માને ફળે નહિ. • અચેતન પાટિયાને તારક કહેવાય તો સંપૂર્ણ જ્ઞાની શ્રી તીર્થંકરદેવને તારક કહેવામાં વાંધો જ શો છે ? ૦ સાધુનાં કપડાંમાં રહી વિપરીત વર્તે એ વિશ્વાસઘાતી છે. • દુઃખથી, મોહથી પણ સંયમ લઈને, પાછળથી વર્ષોલ્લાસ પામીને અનંતા આત્માઓ મુક્તિએ ગયા, પણ મરે તોય પોતાનું ન મૂકે, દોરડી બળે તોય વળ ન મૂકે, એવા આત્માઓ માટે મુક્તિ નથી. • દુર્ગુણ એ મિથ્યાત્વ નથી, પણ દુર્ગુણને સારા માનવા એ મિથ્યાત્વ છે. • પાપી તરે પણ પાખંડી ન તરે. પાખંડી તો પાખંડને પોષવા જ માગે. પાપીને તો નિમિત્ત મળે એટલે તરે ! • પાપને સારું માનવું એ ભયંકર નશો છે. તેથી તો મૂર્ખની પદવી આપવી પડે છે. • ધર્મીની ધર્મક્રિયાને વખોડવી, એ દુર્જનનું લક્ષણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy