SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો લેવા આવે, તો સાધર્મિક શું કહે ? ‘હે ગાંડા તું ક્યાં ભોળવાયો !' -એમ કહે ? નહિ જ. સાધર્મિક તો સ્વયં પ્રેરણા કરે, તો તો પછી સલાહ માગવા આવે ત્યારે તો કમાલ જ કરે. જેના યોગે ધર્મના વિચારો સ્થિર થાય તે સાધર્મિક, પણ વિચારોમાં મલિનતા લાવે તે સાધર્મિક ખરો ! સભા : નહિ. તમે કહો છો ને ! - ૪ સભા : હા. સંયમધર્મનાં પરિણામ જેના યોગે સુદૃઢ થાય તે ગુરુ કે જેના યોગે સંયમધર્મના પરિણામ પતિત થાય તે ગુરુ ? એ ગુરુ તથા સાધર્મિક પરિણામ ઊંચાં બનાવે, પણ નીચાં તો ન જ બનાવે : સંસા૨ને ઢીલો કરાવે, પણ સંસારની જડને મજબૂત તો ન જ કરે : માટે જ એ ત્રણની તો ભક્તિ હોય ! અનુકંપા તો ગુણહીનની !! આમની અનુકંપા કરીએ તો પાપ લાગે. આમની તો ભક્તિ જ હોય. ‘બેસ, ખાઈ લે’-એમ તો નોકરને કહેવાય, આડતિયાને કે રાજાને ન કહેવાય. એને માટે તો પાટલા માંડવા પડે, મોટા ત્રાટ મૂકવા પડે, ન હોય તો માગી લાવીને પણ મૂકવા પડે. જાડો અને લુખ્ખો રોટલો તો ગાડીવાળાને અપાય. આડતિયાને આપો તો એ શું કરે તે જાણો છો ને ? કહે કે ‘રોટલા ભાળ્યા છે ! સભ્યતા તથા વિવેક સાચવવાં જોઈએ.' તેવી જ રીતે જો ત્રણમાં અનુકંપા બુદ્ધિ થઈ કે નાશ, કારણ કે એ તો ભક્તિનાં પાત્ર છે. સ્થાન-સ્થાનનો વિવેક કરતાં શીખો. સમ્યગ્દષ્ટિ હાથ ધરે કે દુ:ખ થાય. એ વખતે ‘પધારો’ કહો, એટલે તરત હાથ આપોઆપ ખસી જાય. એનું અપમાન ન થાય. એવા આત્માને ચાર પૈસા આપીને હાંકી કાઢો એ દાન નહિ, પણ અવગણના છે. 864 સભા : અઢારમું પાપસ્થાનક આપ તો છોડી દેવાનું કહો છો : આપે કહ્યું કે સત્તર પાપસ્થાનક સેવવાં પડે તો પણ કંપતે હૃદયે સેવે, પણ અઢારમાનું શું ? આજે એનો—મિથ્યાત્વનો તો પ્રચાર થાય છે. Jain Education International અઢારમું પાપસ્થાનક મિથ્યાત્વ છે. તે શ્રાવકમાં હોય જ નહિ. અને જો હોય તો તે વાસ્તવિક શ્રાવક નહિ. સભા : એની આલોચના કેમ ? પ્રમાદથી, ભૂલથી થયું હોય, સેવાયું હોય તેની આલોચના : ઇરાદાપૂર્વક મિથ્યાત્વ સેવે ત્યાં શ્રાવકપણું રહે જ નહિ. દેવ-ગુરુ-ધર્મની ઠેકડી કરે, પૂર્વાચાર્યોને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy