________________
૧૨૪
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો
લેવા આવે, તો સાધર્મિક શું કહે ? ‘હે ગાંડા તું ક્યાં ભોળવાયો !' -એમ કહે ? નહિ જ. સાધર્મિક તો સ્વયં પ્રેરણા કરે, તો તો પછી સલાહ માગવા આવે ત્યારે તો કમાલ જ કરે. જેના યોગે ધર્મના વિચારો સ્થિર થાય તે સાધર્મિક, પણ વિચારોમાં મલિનતા લાવે તે સાધર્મિક ખરો !
સભા : નહિ.
તમે કહો છો ને !
-
૪
સભા : હા.
સંયમધર્મનાં પરિણામ જેના યોગે સુદૃઢ થાય તે ગુરુ કે જેના યોગે સંયમધર્મના પરિણામ પતિત થાય તે ગુરુ ? એ ગુરુ તથા સાધર્મિક પરિણામ ઊંચાં બનાવે, પણ નીચાં તો ન જ બનાવે : સંસા૨ને ઢીલો કરાવે, પણ સંસારની જડને મજબૂત તો ન જ કરે : માટે જ એ ત્રણની તો ભક્તિ હોય ! અનુકંપા તો ગુણહીનની !! આમની અનુકંપા કરીએ તો પાપ લાગે. આમની તો ભક્તિ જ હોય. ‘બેસ, ખાઈ લે’-એમ તો નોકરને કહેવાય, આડતિયાને કે રાજાને ન કહેવાય. એને માટે તો પાટલા માંડવા પડે, મોટા ત્રાટ મૂકવા પડે, ન હોય તો માગી લાવીને પણ મૂકવા પડે. જાડો અને લુખ્ખો રોટલો તો ગાડીવાળાને અપાય. આડતિયાને આપો તો એ શું કરે તે જાણો છો ને ? કહે કે ‘રોટલા ભાળ્યા છે ! સભ્યતા તથા વિવેક સાચવવાં જોઈએ.' તેવી જ રીતે જો ત્રણમાં અનુકંપા બુદ્ધિ થઈ કે નાશ, કારણ કે એ તો ભક્તિનાં પાત્ર છે. સ્થાન-સ્થાનનો વિવેક કરતાં શીખો. સમ્યગ્દષ્ટિ હાથ ધરે કે દુ:ખ થાય. એ વખતે ‘પધારો’ કહો, એટલે તરત હાથ આપોઆપ ખસી જાય. એનું અપમાન ન થાય. એવા આત્માને ચાર પૈસા આપીને હાંકી કાઢો એ દાન નહિ, પણ અવગણના છે.
864
સભા : અઢારમું પાપસ્થાનક આપ તો છોડી દેવાનું કહો છો : આપે કહ્યું કે સત્તર પાપસ્થાનક સેવવાં પડે તો પણ કંપતે હૃદયે સેવે, પણ અઢારમાનું શું ? આજે એનો—મિથ્યાત્વનો તો પ્રચાર થાય છે.
Jain Education International
અઢારમું પાપસ્થાનક મિથ્યાત્વ છે. તે શ્રાવકમાં હોય જ નહિ. અને જો હોય તો તે વાસ્તવિક શ્રાવક નહિ.
સભા : એની આલોચના કેમ ?
પ્રમાદથી, ભૂલથી થયું હોય, સેવાયું હોય તેની આલોચના : ઇરાદાપૂર્વક મિથ્યાત્વ સેવે ત્યાં શ્રાવકપણું રહે જ નહિ. દેવ-ગુરુ-ધર્મની ઠેકડી કરે, પૂર્વાચાર્યોને
For Private & Personal Use Only
www.jainelibrary.org