________________
Dછ ૮: સંસારનાં સાધનોને મોતનાં સાધનો કોણ બનાવી શકે? – 58 ૧૨૩
કલ્યાણની ઈચ્છા હોય તો સમજો. સાધુજીવન ન ગળાય તો શ્રાવકજીવન ગાળો, એ પણ ન બને તો સમ્યગ્દષ્ટિપણાનું જીવન ગાળો-એ રીતે જે આત્મા મર્યાદિત બને તે ખાય, પણ એ કે બોલે તે પણ કઈ રીતે ? એ આત્માને બધામાં જ મર્યાદા આવે.
વાસી, દ્વિદળ વગેરે તો માનો ને ! હોટલમાં બધું આવું હોય કે નહિ ? આત્મદષ્ટિએ તો એ ચીજો નુકસાનકારક છે જ, પણ શરીરની દૃષ્ટિએ પણ એ ચીજો ખાવા યોગ્ય નથી. એવી ચીજો ખાવાથી બુદ્ધિ પણ બગડે. દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે પણ બુદ્ધિ બગડે. આ બધો ખાનપાનનો પ્રતાપ છે, કારણ કે આહાર તેવો ઓડકાર. આ દશામાં શ્રી વીતરાગદેવ પ્રત્યે પ્રેમ આવે શી રીતે? આ દેવ અને આ ગુરુ સાથે મેળ ખાય શી રીતે ? આ દેવ-ગુરુ સાથે મેળ મેળવવો હોય તો આચાર, વિચાર અને પ્રવૃત્તિમાં પલટો કરવો જ પડશે.
આજ તો કહે છે કે “સાધુ જેને પાપ માને તેને આપણે પાપ માનીએ શું કામ ? પાપ ન માનો અને પુણ્ય માનો, તો પરિણામ શું આવે ? એને પાપ માનો તો સાધુતા પણ ઉદયમાં આવે : આ ભવે નહિ તો ભવાંતરે પણ ઉદયમાં આવે. સભાઃ લક્ષ્મી વધુ મળે તે માટે દાન દે તો કેવું ગણાય ?
એ દાન નહિ પણ સટ્ટો છે. વસ્તુને ત્યાજ્ય માન્યા વિના દેવાય, તે વસ્તુતઃ દાન નથી. આગળ આવવા માટે, કીર્તિ માટેનાં દાન તે વસ્તુતઃ મોક્ષસાધક દાન નથી, પણ સટ્ટો છે. જે લક્ષ્મી જેવી છે તેવી તેને ન માને, તો દે કઈ રીતે ? દાનનું કંઈ ધ્યેય તો ખરું ને ! આપનારની લક્ષ્મી ઉપરની મમતા ઓછી થાય અને બીજાનું ભલું થાય, એ કેવો શુભ ઉદ્દેશ છે? પ્રભુની ભક્તિ, ગુરુની સેવા તથા સાધર્મિકની ભક્તિમાં જે દાન દેવાય, તે તારક જાણીને ! અનુકંપાદાનમાં કેવળ દયા-ત્યાં કંઈ જોવાનું નહિ. દેવ, ગુરુ તથા સાધર્મિકને તારક માનીને આપવું, તરવાની બુદ્ધિએ આપવું. પ્રભુ તો આપણા તારક. કેવળજ્ઞાન પામી આખા જગતના તારક એવા પ્રભુની સેવામાં જેટલું સમર્પીએ તેટલું ઓછું : સાધુ તો જીવે ત્યાં સુધી ષટ્કાયના અભયદાતા અને સહવાસીઓનું હિત કરનાર : એમની પણ થાય તેટલી ભક્તિ કરવી. સાધર્મિકની શિખામણથી તો કૈક શિથિલ થયેલા માર્ગમાં આવશે અને દઢ બનશે, માટે એમની પણ ભક્તિ કરવાની. સાધર્મિક સાધર્મિકને ધર્મમાં સ્થિર કરે કે પતિત કરે ? સંયમનો અર્થી સલાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org