________________
૧૨૨
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
-
982
માટે ? નહિ જ, કુટેવ પડી તે માટે ! ટેબલખુરશી પર બેસી ખાવું, પાનના ડૂચા મારવા, સિગારેટ ફૂંકવી, આ શોખ વધી ગયો ! આ બધું કુટેવ વધી ગઈ એથી, બાકી આદમીને ખાવાનું કેટલી વાર ? આદમી તે આદમી કે ઢોર ? ઢોર પણ વાગોળે ભલે, પણ આખો વખત ખા-ખા તો ન કરે : આખી રાત ખા-ખા ન કરે. પણ જ્યાં શોખ લાગ્યો હોય અને કુટેવ પડી હોય, ત્યાં ચીજ કેવી છે અથવા સમય રાતનો છે કે દિવસનો, તે જોવાનું ક્યાંથી હોય ?
સભાઃ આ બધું જાણ્યું ક્યાંથી ?
આ બધું જાણનારે ત્યાં જવું જ પડે એવું કાંઈ નથી. રસના ઇંદ્રિયની લાલસાના યોગે કાર્યવાહી શી શી થાય છે, તે તો આગમે જણાવી છે અને શું કરો છો તે તો તમે અનુભવી છો એટલે જાણો છો. તમારામાંથી કોઈ સુધરે, એમાંથી નીકળે તે કહે કે “અમે પણ આવા હતા, આ ખાતા, તે ખાતા.” હવે કોઈ પૂછે કે મનુષ્યની આ બધી ક્રિયાઓ તથા ચાહ , બીડી, સિગાર, પાન એ પેટ માટે જરૂરી છે ? કહો છો ને કે “કંગાલ થયા, માંદા થયા-' ન થાઓ તો જાઓ ક્યાં ? શેરને બદલે સવાશેર પેટમાં નાખો, તો લોટો ભરવો જ પડે. ને ? પછી પેટ ચડે, હીંગ ભરવી પડે અને જાજરૂમાં પણ વારંવાર જવું જ પડે. આજ તો ભલેને મહિને સોનો પગાર મળે, વધીને આવક બાવીસોની થાય, તો પણ ખિસું તો ખાલી જ રહે. પૈસો અનીતિનો, પ્રપંચનો, પાપનો તે ત્યાં જ જાય. સન્માર્ગે ન જાય. બુદ્ધિ બગાડે, નાસ્તિક બનાવે ને આચારહીન બનાવે. એને ઘરમાં ખાવાની મજા ન આવે. ખરાબ ચીજો હૃદયને ગમાડીને ખાય : હૃદયને ફાવે તે રીતે ખાય. ચાહ, દૂધ સાથે પીએ, ઉપર શિખંડ ખાય, કૈક કચરો ખાય, એ બધું પચે ક્યાં ? પેટ તો આટલું ને ! પછી રોગી થાય. એને દેવ, ગુરુ, ધર્મ ન ગમે ? એનું ચિત્ત તો ત્યાં જ ભટકે. એક સંવત્સરીનો ઉપવાસ થાય તે દિવસે એમ થાય કે હોટલ બંધ થઈ. વગર ઉપવાસના પણ પૂછે કે પડિકમણામાં પચ્ચખાણ ન કરીએ તો ચાલે ને ! આ સ્વતંત્રતા છે ?
તમારામાં શ્રાવકજીવન આવે તોય તમે નમૂનેદાર બનો, અને દુનિયા અનુકરણ કરે, પણ એ બને ક્યારે ? સંસારની લાલસાવાળા મટી મોક્ષની લાલસાવાળા બનો ત્યારે ! બાકી સંસાર ઉપરથી રુચિ ન ઘટે ત્યાં સુધી પાપક્રિયા કેમ ઘટે ? આ જ કારણે તમે જ્યાં ચોંટ્યાં છો એ ખોટું છે, એ તો બતાવવું જોઈએ ! ધૂનન કરાવવું છે માટે આ સમજાવ્યા સિવાય છૂટકો જ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org